બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

Ajitsinh Jadeja

Last Updated: 02:33 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kailash Mansarovar Yatra 2026: માનસરોવર યાત્રા પર ખાનગી ટુર ઓપરેટરોના માધ્યમથી જતા લોકોને વિદેશ મંત્રાલયએ ચેતવ્યા છે અને સલાહ આપી છે કે, પુરા દસ્તાવેજો વિના યાત્રા પર નીકળશો નહીં.

Kailash Mansarovar Yatra 2026: માનસરોવર યાત્રા પર ખાનગી ટુર ઓપરેટરોના માધ્યમથી જતા લોકોને વિદેશ મંત્રાલયએ ચેતવ્યા છે અને સલાહ આપી છે કે, પુરા દસ્તાવેજો વિના યાત્રા પર નીકળશો નહીં.

માનસરોવર યાત્રા પર નીકળેલા આશરે 52 યાત્રાળુઓ નેપાળમાં ફસાયેલા છે અને ચીન જઇ શકતા નથી. વિદેશ મંત્રાલયને તેમની બહાર લાવવા માટે અનેક વિનંતીઓ મળી છે. વિદેશ મંત્રાલયે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓ માટે એક એડવાઇઝરી જારી કરી છે.

માનસરોવરની યાત્રા કરી રહેલા લોકો માટે એડવાઇઝરી

નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહાય માટે વિદેશ મંત્રાલયને અનેક અપીલો મળી છે. આ નાગરિકોએ ખાનગી ટુર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર મુસાફરી કરી હતી પરંતુ ચીનમાં પ્રવેશવા માટે જરૂરી પરમિટ અને વિઝા હતા નહી. ભારતીય વિદેશ મંત્રાલયે તેની એડવાઇઝરીમાં કહ્યું.

નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી તેમને બધા જરૂરી મુસાફરી દસ્તાવેજો ન મળે ત્યાં સુધી તેઓ ભારતથી તેમની યાત્રા શરૂ ન કરે.

કન્ફર્મ થયેલ દસ્તાવેજો વિના બહાર નીકળવાથી અથવા પછીથી જરૂરી દસ્તાવેજો મેળવવાની આશા રાખવાથી ફસાયાનું જોખમ વધે છે.

યાત્રાળુઓને એ પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમનો ટુર ઓપરેટર યોગ્ય રીતે નોંધાયેલ અને અધિકૃત છે.

નેપાળમાં ફસાયેલા યાત્રાળુઓ ચીની વિઝાની રાહ જોઈ રહ્યા છે

આ દરમિયાન નેપાળમાં ભારતીય દૂતાવાસે ટુર ઓપરેટર, ઓબિલ અધિકારીનો સંપર્ક કર્યો છે, જે આ ગૃપના ઇન્ચાર્જ છે. ટુર ઓપરેટર પાસેથી મળેલી માહિતી અનુસાર નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો કાઠમંડુમાં હોટલોમાં રોકાયા છે. તેમના પાસપોર્ટ નવી દિલ્હીમાં ચીની દૂતાવાસમાં જમા કરાવવામાં આવ્યા છે અને તેઓ તેમના વિઝા જારી થવાની રાહ જોઈ રહ્યા છે. ટુર ઓપરેટરે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ દ્વારા થોડા દિવસોમાં વિઝા જારી કરવામાં આવી શકે છે.

VTV ADD

આ પણ વાંચોઃ Monsoon / 146 વર્ષમાં સૌથી સુકો જૂન... 40 ટકા કરતા ઓછો વરસાદ, 5 કારણોને લીધે ચોમાસાએ આપ્યો દગો

માનસરોવરનું ધાર્મિક મહત્વ

નોંધનીય છે કે માનસરોવર હિન્દુઓ માટે એક ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ છે. માનસરોવરનું પવિત્ર તળાવ ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે તેના કિનારે સ્નાન કરવાથી અને તેનું પાણી પીવાથી પાપોથી મુક્તિ મળે છે. માનસરોવર તળાવની નજીક સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવ અને દેવી પાર્વતીનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal Kailash Mansarovar Yatra 2026 china
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ