બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / કેન્દ્ર સરકારે ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં નિયુક્તીને આપી મંજૂરી, હવે પોસ્ટિંગ
Last Updated: 04:38 PM, 25 June 2026
ગુજરાત રાજ્યની વહીવટી સેવાના કુલ 17 અધિકારીઓને ભારતીય વહીવહટી સેવામાં બઢતી આપવા બાબતે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 17 અધિકારીઓની IASમાં નિમણૂંકને આપી મંજૂરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના અધિકારીઓને નિમણૂંક આપવામાં આવેલી છે. નવી નિમણૂંક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.
ADVERTISEMENT
આ અધિકારીઓને અપાઈ નિમણૂંક
મળતી માહિતી મુજબ નિમણૂંક પામેલા અધિકારીઓમાં આરએન કુછરા, આરપી પટેલ, સીબી ગણાત્રા, સીએ ગાંધી, બીએન પટેલ, એમકે જોશી, એકે જોશી, કેએસ ઝાલા, વીકે જાદવ, ડીકે પટેલ, બીએચ પટેલ, આઈઆર વાળા, એમડી ચૂડાસમા, બીએસ પ્રજાપતિ, વીજી પટેલ, એકે વસતાણી અને પીબી રાઠોડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાઓને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઇ શકે છે.
ADVERTISEMENT
નિમણૂંક મેળવેલા તમામ અધિકારીઓ હાલ પ્રોબેશન પર રહેશે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દસ્તાવેજો મોકલવા માટેની સૂચના આપવામાં આવેલી છે.
ઉપરોક્ત નિમણૂંક પામેલા તમામ અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંક આપવામાં આવશે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.