બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મળી રાહત, 8 વર્ષ જૂનો કેસ સરકારે પરત ખેંચ્યો

ગુજરાત / હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મળી રાહત, 8 વર્ષ જૂનો કેસ સરકારે પરત ખેંચ્યો

Nidhi Panchal

Last Updated: 10:22 AM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા આગેવાનોને મોટી કાનૂની રાહત મળી છે. વર્ષો જૂનો જાહેરનામા ભંગનો કેસ સરકારે પરત ખેંચતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

સુરતમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે. પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલો લગભગ 8 વર્ષ જૂનો જાહેરનામા ભંગનો કેસ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. રાજ્ય સરકારે આ કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો, જેના આધારે સુરત કોર્ટે CrPC 321 હેઠળ કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

HARDIK-PATEL

પાટીદાર આંદોલન દરમિયાન વખતે નોંધાયો હતો કેસ

મળતી માહિતી મુજબ પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા આ કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સહિતના અનેક પાટીદાર આગેવાનો આરોપી તરીકે સામેલ હતા. વર્ષોથી ચાલતા આ કેસમાં હવે અંતિમ નિર્ણય આવતા આગેવાનો અને તેમના સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

સમગ્ર મામલો વર્ષ 2018નો છે

આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે. તે સમયે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવવા માટે પાટીદાર આગેવાનો અને કાર્યકરો જઇ રહ્યા હતા. આ દરમિયાન જાહેરનામાના ભંગનો આરોપ લગાવી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી.

કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલતો રહ્યો

આ કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલતો રહ્યો હતો. દરમિયાન રાજ્ય સરકારે કેસની સમીક્ષા કર્યા બાદ તેને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસને આગળ ચલાવવો જાહેર જનતાના હિતમાં નથી. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેસ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારની અરજી પર વિચારણા કર્યા બાદ સુરત કોર્ટે CrPC 321 હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કેસ ચાલુ રાખવો જાહેર હિતમાં નથી અને તેથી કેસ રદ કરવામાં આવે. આ સાથે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવીયા, અશોક જીરાવાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

સમાજ માટે મહત્વપૂર્ણ કાનૂની રાહત

કોર્ટના આ નિર્ણયને પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ કાનૂની રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા અનેક કેસોમાંથી આ એક મહત્વનો કેસ માનવામાં આવતો હતો. હવે આ કેસ બંધ થતાં વર્ષોથી ચાલતી કાનૂની પ્રક્રિયાનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન ગુજરાતના સૌથી ચર્ચિત સામાજિક આંદોલનોમાંનું એક રહ્યું છે. આ આંદોલન દરમિયાન વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો યોજાયા હતા. તે જ સમયગાળા દરમિયાન નોંધાયેલા આ જાહેરનામા ભંગના કેસમાં હવે સુરત કોર્ટે અંતિમ નિર્ણય આપતા તમામ આરોપીઓને રાહત મળી છે.

આ પણ વાંચો : કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ, રાજ્યની 38400 શાળામાં 28.58 લાખ જેટલા બાળકોને મળશે પ્રવેશ

રાજ્ય સરકાર દ્વારા કેસ પરત ખેંચવાના નિર્ણય અને ત્યારબાદ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા તથા અન્ય આગેવાનો સામેની કાનૂની કાર્યવાહીનો અંત આવ્યો છે. કોર્ટના આ નિર્ણયને પાટીદાર આગેવાનો માટે મોટી જીત અને મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar Andolan Hardik Patel Alpesh Kathiriya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ