બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:53 PM, 22 June 2026
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ભયાનક આગ લાગી છે જેમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. એક ઇમારતમાં અચાનક આગ લાગી ગઈ જેના કારણે થોડી જ મિનિટોમાં આખી ઇમારત ધુમાડા અને આગમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટના દરમિયાન એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. જેમાં એક વ્યક્તિ પોતાને બચાવવા માટે ગ્રીલ પકડી રહ્યો હતો, પરંતુ ભીષણ આગને કારણે તે ઇમારત પરથી પડી ગયો હતો.
ADVERTISEMENT
तस्वीर को देखिए, लखनऊ के अलीगंज में एक बिल्डिंग में आग लगती है जिसमें अब तक 10 से ज्यादा मौतें हो चुकी हैं।
— Kavish aziz (@azizkavish) June 22, 2026
इस वीडियो में बच्चे जान बचाते हुए तारों के सहारे उतरते नजर आ रहे हैं pic.twitter.com/crz9YjfgDg
અહેવાલો અનુસાર તે વ્યક્તિની પીઠમાં ઈજા થઈ હતી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના લખનઉના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં બની હતી. જેમાં મૃતકોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT

લખનઉના એક ગેમિંગ ઝોનમાં ફર્નિચરને કારણે ઝડપથી ફેલાતી આગમાં 14 લોકોના મોત થયા હતા. ફાયર ફાયટરોના વ્યાપક પ્રયાસો બાદ આગને કાબુમાં લીધી છે. સાવચેતી તરીકે હાલમાં કુલિંગ કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
Big breaking:
— पाठशाला 🐦 (@PanditDk1997) June 22, 2026
A coaching was being run from the first floor of the building where this massive fire erupted in Aliganj area in Lucknow, UP. A huge hole was drilled in side of the building to extricate people stuck inside.
Multiple causalities feared.#aliganjlibarary#lucknow pic.twitter.com/Xwk4GMksIP
ADVERTISEMENT
આ ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિસ્થિતિની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમને વહીવટીતંત્રને ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરવા અને સંપૂર્ણ ધ્યાન રાખવાનો પણ આદેશ આપ્યો.
ADVERTISEMENT
આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયે પણ ઊંડા શોક વ્યક્ત કર્યો છે. જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.