બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:02 PM, 22 June 2026
માઁ ધૂમાવતીનું સ્વરૂપ અન્ય દેવીઓથી ખૂબ જ અલગ અને અનોખું માનવામાં આવે છે. તેઓ તંત્ર સાધના, રહસ્ય અને અપરંપાર શક્તિનું પ્રતિક છે. પુરાણોમાં તેમના પ્રાગટ્ય અંગે અનેક કથાઓ વર્ણવવામાં આવી છે જેમાં સૌથી લોકપ્રિય કથા માતા પાર્વતી અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ માતા પાર્વતીને એક વખત એટલી તીવ્ર ભૂખ લાગી હતી કે તેમણે ભગવાન શિવને જ ગળી લીધા હતા. ત્યારબાદ જે ઘટના બની તેનાથી ધૂમાવતી સ્વરૂપનું પ્રાગટ્ય થયું.
ADVERTISEMENT
પુરાણોમાં વર્ણવેલી કથા અનુસાર એક વખત માતા પાર્વતીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેમણે ભગવાન શિવ પાસે ભોજનની માંગણી કરી, પરંતુ મહાદેવે થોડો સમય રાહ જોવાનું કહ્યું. ભૂખથી વ્યાકુળ થયેલી માતા પાર્વતી રાહ જોઈ શક્યાં નહીં અને તેમણે સીધા ભગવાન શિવને જ ગળી લીધા. ભગવાન શિવને ગળી જતાં જ માતાના શરીરમાંથી ઘેરો ધુમાડો નીકળવા લાગ્યો. થોડા સમય બાદ જ્યારે તેમની ભૂખ શાંત થઈ, ત્યારે ભગવાન શિવ પોતાની દિવ્ય શક્તિથી તેમના શરીરમાંથી બહાર આવ્યા. માતાનું સમગ્ર શરીર ધુમાડાથી ઢંકાઈ ગયું હોવાથી શિવજીએ તેમને "ધૂમાવતી" નામ આપ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક અન્ય માન્યતા મુજબ ભગવાન શિવને ગળી જવાના કારણે માતા પાર્વતીનું સ્વરૂપ વિધવા જેવું બની ગયું હતું. ભગવાન શિવના કંઠમાં રહેલા હલાહલ વિષની અસરથી તેમનું સૌંદર્ય અને શૃંગાર નષ્ટ થઈ ગયા હતા. ત્યારબાદ ભગવાન શિવે તેમને આ જ સ્વરૂપમાં રહેવાનો આશીર્વાદ કે શાપ આપ્યો હતો. આ કારણથી ધૂમાવતી માતાની પૂજા વિધવા સ્વરૂપમાં કરવામાં આવે છે.
ADVERTISEMENT
ધૂમાવતી માતાના પ્રાગટ્ય અંગે બીજી એક પ્રસિદ્ધ કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે જ્યારે માતા સતી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અપમાન સહન ન કરી શકતાં યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં હતાં, ત્યારે તેમના દહન થતા શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો હતો, તેમાંથી દેવી ધૂમાવતીનું પ્રાગટ્ય થયું હતું. આ કારણસર ધૂમાવતી માતાનું સ્વરૂપ ગંભીર, ઉદાસ અને વૈરાગ્યપૂર્ણ માનવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફક્ત બજેટ નહીં, ભાડાનું ઘર પસંદ કરતી વખતે આ વાસ્તુ નિયમો પણ જાણો
ADVERTISEMENT
માઁ ધૂમાવતી દસ મહાવિદ્યાઓમાં સાતમી મહાવિદ્યા તરીકે પૂજાય છે. તેઓ સ્વતંત્ર શક્તિનું પ્રતિક છે અને તેમનો કોઈ સ્વામી નથી માનવામાં આવતો. ઋગ્વેદમાં તેમને "સુતરા" તરીકે ઓળખાવવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે દુઃખ અને સંકટમાંથી પાર ઉતારનારી શક્તિ. તેમનું મુખ્ય પ્રતીક 'સૂપ' છે. માન્યતા છે કે તેઓ સમગ્ર બ્રહ્માંડને પોતાના સૂપમાં સમેટી મહાપ્રલય સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઋષિ દુર્વાસા, ભૃગુ અને પરશુરામ જેવા મહાન ઋષિઓની મૂળ શક્તિ પણ ધૂમાવતી માતાને માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર માઁ ધૂમાવતીની સાધના કરવાથી જીવનના અનેક સંકટો દૂર થાય છે. ખાસ કરીને ચાતુર્માસનો સમય તેમની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની આરાધનાથી ભય, ચિંતા અને નકારાત્મકતા દૂર થાય છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એવું પણ માનવામાં આવે છે કે માતા પ્રસન્ન થાય તો સાધકને દુશ્મનો, રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે અને જીવનમાં શક્તિ તથા હિંમતનો સંચાર કરે છે.
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.