બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું, કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ
Last Updated: 10:46 AM, 22 June 2026
Koli Samaj National Convention : દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજના 12મા રાષ્ટ્રીય અધિવેશને માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય સ્તરે પણ ચર્ચાઓને વેગ આપ્યો છે. વાસ્તવમાં 21 જૂને યોજાયેલા આ મહાસંમેલનમાં ગુજરાત સહિત દેશભરના કોળી સમાજના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ADVERTISEMENT
કુંવરજી બાવળીયાની ગેરહાજરીથી ઉઠ્યા સવાલ
આ અધિવેશનની સૌથી વધુ ચર્ચિત બાબત રહી ગુજરાતના પ્રભાવશાળી નેતા કુંવરજી બાવળીયાની ગેરહાજરી. વાસ્તવમાં કુંવરજી બાવળીયાની ગેરહાજરીને કારણે સમાજની અંદર અલગ વિચારધારાઓ અને નેતૃત્વને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ. બીજી તરફ કાર્યક્રમમાં હીરાભાઈ સોલંકી, કનુ પટેલ અને ઝંખના પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને ઘણા લોકો સમાજના શક્તિપ્રદર્શન તરીકે પણ જોઈ રહ્યા છે. ખાસ કરીને કુંવરજી બાવળિયા બાદ રાષ્ટ્રીય સ્તરે નવા નેતૃત્વ અને સંગઠનાત્મક દિશાને લઈને ચર્ચા વધુ સક્રિય બની છે.
ADVERTISEMENT
કોળી સમાજમાં કોઈ પ્રકારનો મતભેદ નથી: હીરા સોલંકી
ADVERTISEMENT
આ તરફ સમાજના આગેવાનો તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, કોળી સમાજમાં કોઈ પ્રકારનો મતભેદ નથી અને સમગ્ર સમાજનું લક્ષ્ય વિકાસ અને પ્રગતિ છે. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે,અલગ કાર્યક્રમો યોજાવા છતાં હેતુ એક જ છે-સમાજને વધુ મજબૂત બનાવવાનો. તેમના જણાવ્યા મુજબ અખિલ ભારતીય કોળી સમાજ ટ્રસ્ટ અંતર્ગત અલગ નેતૃત્વ હેઠળ કાર્યક્રમો થયા હોવા છતાં તેને વિભાજન તરીકે જોવું યોગ્ય નથી.
नई दिल्ली के तालकटोरा स्टेडियम में आयोजित अखिल भारतीय कोली समाज के 12वें राष्ट्रीय अधिवेशन में सम्मिलित होकर प्रसन्नता हुई। देश के विभिन्न राज्यों से आए समाजबंधुओं की सहभागिता ने “एक भारत, श्रेष्ठ भारत” की भावना को साकार किया।
— Ram Nath Kovind (@ramnathkovind) June 21, 2026
कोली समाज का इतिहास अत्यंत गौरवशाली रहा है तथा… pic.twitter.com/RvKDMIyfnW
ADVERTISEMENT
રામનાથ કોવિંદ પણ રહ્યા હાજર
આ કાર્યક્રમમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સમાજના વિકાસ માટે શિક્ષણ અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દર્શાવી. સાથે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમાજ સાથે કોઈ અન્યાય નહીં થાય અને સમાજના લોકો સંગઠિત રીતે આગળ વધે તે સમયની માંગ છે.
ADVERTISEMENT
કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
રાજકોટમાં કોળી સમાજના અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને આગામી 6 મહિના સુધી… pic.twitter.com/uky2cu8h9i
કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડું : કુંવરજી
ADVERTISEMENT
કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ આગામી છ મહિના સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે સમાજની કામગીરી સંભાળશે. આ સમયગાળા દરમિયાન સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવશે. તેમાં મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીની રૂપરેખા ઘડવી તેમજ સંગઠનના નિયમો મુજબ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે.
કોળી સમાજ અધ્યક્ષને વિવાદ અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન#KoliSamaj #KunvarjiBavaliya #Rajkot #Gujarat #Community #VTVDigital pic.twitter.com/ijDHG7KvRU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
આ પણ વાંચો : કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
આ સાથે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ કોળી સમાજના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાના નથી. તેમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પૂર્ણ કરવાનો છે. જોકે જો સમાજના આગેવાનો અને સભ્યો સર્વસંમતિથી તેમને જવાબદારી સોંપવાનો નિર્ણય કરશે તો તેઓ તે જવાબદારી સ્વીકારવા તૈયાર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.