બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ચાર પરિવાર પર આભ ફાટ્યું, દીકરાએ મોત વહાલું કર્યું
Last Updated: 12:57 PM, 22 June 2026
ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે આખું કુટુંબ ખુશીથી ઝૂમી ઊઠે છે. માતા નવ મહિના સુધી દરેક પીડા સહન કરે છે. પિતા પોતાની દરેક ઈચ્છા અધૂરી રાખીને સંતાનનાં સપનાં પૂરાં કરવા દિવસ-રાત મહેનત કરે છે. બાળકને સારું ભણાવવું, મોટો માણસ બનાવવો અને એક દિવસ એ જ સંતાન પોતાની વૃદ્ધાવસ્થાનો સહારો બનશે એવાં હજારો સપનાં માતા-પિતાની આંખોમાં જીવતાં હોય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરંતુ જ્યારે એ જ સંતાન નાની કે મોટી મુશ્કેલી સામે હારી જાય અને આપઘાત જેવું પગલું ભરી બેસે ત્યારે માત્ર એક જીવ જતો નથી. માતાની મમતા મરી જાય છે, પિતાની હિંમત તૂટી જાય છે અને આખું ઘર વર્ષો સુધી શોકમાંથી બહાર આવી શકતું નથી. આજના સમયમાં સૌથી મોટી બાબત એ નથી કે યુવાનો મુશ્કેલીઓમાં છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુશ્કેલી આવે ત્યારે તેઓ પોતાની વાત કોને કહે? ઘણા યુવાનો બહારથી હસતા દેખાય છે, પરંતુ અંદરથી એકલતા, દુઃખ અને નિરાશા સાથે સંઘર્ષ કરતા હોય છે.
ADVERTISEMENT
અમદાવાદમાં બનેલી આપઘાતની ચાર ઘટનાઓએ આ પ્રશ્નને વધુ ગંભીર બનાવી દીધો છે. સેટેલાઈટમાં અભ્યાસ કરતી ૨૬ વર્ષીય યુવતીએ બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો. ઓઢવમાં રહેતી ૨૨ વર્ષની યુવતીએ રહેણાક પરથી કૂદીને જીવનનો અંત લાવ્યો. શાહીબાગમાં એક યુવકે લાંબી બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાધો. નવા નરોડામાં ૨૭ વર્ષીય યુવકે પત્ની રિસાઈને જતાં મનમાં લાગેલા આઘાતમાં જીવન ટૂંકાવ્યું.
ADVERTISEMENT
આ પહેલાં નવા રાણીપમાં નીટની તૈયારી કરતા એક કિશોરે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. આ તમામ બનાવ એકબીજાથી અલગ છે, પરંતુ એક વાત સરખી છે. આજનો યુવા દેખાવમાં મજબૂત લાગે છે, પરંતુ અંદરથી ઘણી વખત ખૂબ નાજુક બની ગયો છે. ઓછા ગુણ આવે તો દુનિયા પૂરી થઈ ગઈ હોય એવી લાગણી થાય છે. પ્રેમસંબંધ તૂટે તો જીવવાનું કારણ જતું રહે છે. માતા-પિતા ઠપકો આપે તો પોતે કોઈને કામનો નથી એવી લાગણી જન્મે છે. થોડું દેવું થઈ જાય કે નોકરીમાં મુશ્કેલી આવે તો ભવિષ્ય અંધકારમય લાગે છે, પરંતુ હકીકત એ છે કે સમસ્યાઓ કાયમી નથી... જીવન કાયમી છે.
ADVERTISEMENT
આપઘાત કરનાર મોટા ભાગના લોકો મરવા નથી માગતા. તેઓ તો માત્ર પોતાની પીડામાંથી બહાર આવવા માગતા હોય છે. જો એ સમયે કોઈ તેમની વાત સાંભળે, તેમને સમજવાનો પ્રયાસ કરે અને વિશ્વાસ આપે તો અનેક જીવ બચી શકે. દુનિયામાં દર વર્ષે આઠ લાખથી વધુ લોકો આપઘાત કરે છે, તેમાં ભારતનો હિસ્સો પણ ચિંતાજનક છે. ખાસ કરીને ૧૫થી ૨૯ વર્ષની વયના યુવાનોમાં આવા બનાવોનું પ્રમાણ વધારે છે.

ADVERTISEMENT
દરેક માતા-પિતાનું એક જ સપનું હોય છે કે તેમનું સંતાન તેમના ખભાનો સહારો બને, પરંતુ જ્યારે એ જ માતા-પિતાને પોતાના યુવાન સંતાનની અંતિમયાત્રામાં ખભો આપવાનો વારો આવે છે ત્યારે એ દુઃખ શબ્દોમાં વ્યક્ત થઈ શકતું નથી. આપઘાત કોઈ સમસ્યાનું સમાધાન નથી. એક વાતચીત, એક હૂંફભર્યો સ્પર્શ, એક વિશ્વાસ આપતો શબ્દ અને સમયસર મળેલી મદદ કોઈનું આખું જીવન બચાવી શકે છે.
ડો. પ્રશાંત ભીમાણી, મનોચિકિત્સકનું કહેવું છે કે, યુવાઓમાં વિવિધ મુદ્દાઓને લઈ આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, જે ચિંતાજનક મુદ્દો છે. જ્યારે પણ આત્મહત્યાનો વિચાર આવે ત્યારે તમારા પરિવાર સાથે વાત કરો અથવા તો મનોચિકિત્સકની મદદ લો.
આ પણ વાંચો : GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે
જી.એસ. મલિક, રાજ્યના પોલીસવડાનું કહેવું છે કે, આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, જેથી ઘરવાળાંઓએ ભણતરથી લઈને કોઈ પણ મુદ્દે બાળકો પર પ્રેશર કરવું નહીં. ભણતરના ભારથી પહેલેથી બાળક પ્રેશરમાં હોય તેવામાં વાલીઓએ પણ સમજવું જોઈએ. બાળકોના બિહેવિયર ઉપર નજર રાખવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.