બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 22 June 2026
પંકજ ત્રિપાઠીના પરિવાર સાથે જોડાયેલી આ ઘટના બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. આખરે વિજેન્દ્ર નાથ તિવારી પર હુમલો કેમ થયો? તેમની કોની સાથે દુશ્મની હતી? પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો જમીન અને રસ્તાના વિવાદ સાથે જોડાયેલો છે. આરોપી લાંબા સમયથી તેમના પાડોશી તરીકે રહેતો હતો અને બંને પરિવારો વચ્ચે અગાઉથી મતભેદ ચાલી રહ્યા હતા. હાલ ઘાયલ વિજેન્દ્ર તિવારીની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
રવિવારે સાંજે બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંડ ગામમાં પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ વિજેન્દ્ર નાથ તિવારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે રાજેશ સાહ નામના વ્યક્તિએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ આ સમગ્ર વિવાદ ગામના રસ્તાને લઈને ચાલી રહ્યો હતો. વિજેન્દ્ર નાથ તિવારીના ઘરની સામે જ આરોપી રાજેશ સાહનું ઘર આવેલું છે. બંને ઘરો વચ્ચેના રસ્તાના ઉપયોગ અને માલિકીના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ મુદ્દે અગાઉ પણ અનેક વખત બંને પક્ષોમાં મતભેદ સર્જાયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપીએ વિજેન્દ્ર નાથ તિવારી પર પાછળથી હુમલો કર્યો હતો. કુહાડીના ઘા લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે તેમને પટણા રેફર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગોપાલગંજ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાના મુખ્ય આરોપી રાજેશ સાહની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેની પાસેથી હુમલામાં વપરાયેલી કુહાડી અને લોહીથી ખરડાયેલા કપડાં પણ જપ્ત કર્યા છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ બેલસંડ ગામમાં રસ્તાને લઈને આ વિવાદ નવો નથી. અગાઉ પણ આ મુદ્દે બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો હતો. એક સમયે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફરી એકવાર આ વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે.

આ પણ વાંચોઃ હેપ્પી બર્થડે વિજય થલાપતિ, બાળ અભિનેતાથી લઈ તમિલનાડુના મુખ્યમંત્રી બનવા સુધીના સફરની કહાની
ઘટનાની માહિતી મળતાં જ SDPO અને માધોપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાને લઈને પંકજ ત્રિપાઠી અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસ પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ વિગતો જાહેર કરવાનું ટાળી રહી છે. જોકે, પંકજ ત્રિપાઠીનું નામ જોડાતા સમગ્ર મામલો હાઈ-પ્રોફાઇલ બની ગયો છે અને પોલીસ ખૂબ જ સાવધાનીપૂર્વક તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.