બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'મારી સગી આંખે 14 લાશ જોઈ', લખનઉ અગ્નિકાંડ પર વાત કરતાં રડી પડ્યાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક
Last Updated: 08:44 PM, 22 June 2026
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભયાનક અને આગથી સમગ્ર દેશમાં . ઉત્તર પ્રદેશના નાશોકનો માહોલ પ્યરસરી ગયો છે. જેમાં ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠક આ ભયાનક આગમાં થયેલી દુર્ઘટના અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા. જેમાં મીડિયા સાથે વાત કરતી વખતે આ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ થતાં ડેપ્યુટી મુખ્યમંત્રી કેમેરા સામે રડી પડ્યા હતા.
ADVERTISEMENT
#WATCH | On the Lucknow coaching institute fire incident, Uttar Pradesh Deputy CM Brajesh Pathak says, "One person is currently undergoing surgery in the OT; he sustained an abdominal injury from a fall. The other injured individuals are out of danger and are receiving proper… pic.twitter.com/NoQQCfWtWc
— ANI (@ANI) June 22, 2026
આ અંગે ડેપ્યુટી મુખ્યમંત્રીએ સમજાવ્યું કે ઘટના સમયે આ કેન્દ્ર એનિમેશન સેન્ટર તરીકે કાર્યરત હતું, જ્યાં 15, 16 અને 17 વર્ષના બાળકો ઉનાળાના વેકેશન દરમિયાન કાર્ટૂનિંગ અને એનિમેશન શીખવા માટે આવતા હતા. આ ઘટનાની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ આગ લાગતાની સાથે જ બાળકો પોતાને બચાવવા પાછળ દોડી ગયા હતા. સેન્ટરની અંદર લાકડાનું ફર્નિચર ઘણું હતું. આ આગને કારણે લાકડાના ફર્નિચરમાંથી ઝેરી ધુમાડો નીકળ્યો હતો જેના કારણે બાળકો તેમાં ફસાઈ ગયા અને તેમને બહાર નીકળતા અટકી ગયા હતા.
ADVERTISEMENT
#BREAKING Fifteen dead, several injured in a devastating fire at a Lucknow coaching-cum-gaming zone in Aliganj. Large-scale rescue operations are underway.
— jarvis ☠️ (@Vishii14) June 22, 2026
@myogiadityanath @lkopolice #LucknowFire #AliganjTragedy #RescueOperation pic.twitter.com/zCkCJkTDSF
ADVERTISEMENT
આ અકસ્માત સમયે સેન્ટરમાં હાજર બાળકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી સ્પષ્ટ નથી. પણ અત્યાર સુધીમાં 15 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી 14 બાળકોના મૃતદેહ રૂબરૂ જોવા મળ્યા છે. જેમાં અકસ્માતમાં દાઝી ગયેલા અને ઘાયલ થયેલા બાળકોને તાત્કાલિક KGMC ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
उत्तर प्रदेश : लखनऊ में लाइब्रेरी में आग लगी। कई छात्र छात्रा ऊपर से ही कूदे। बचाव राहत कार्य जारी है। pic.twitter.com/XW8AUDTqny
— Sachin Gupta (@Sachingupta) June 22, 2026
ADVERTISEMENT
આ આગની માહિતી મળતાં જ તંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું હતું. હાલમાં ઘટનાસ્થળે કોઈ બાળકો હાજર નથી છતાં અંદર હજુ પણ ભયંકર ધુમાડો હતો. સળગતા લાકડાના ફર્નિચરમાંથી નીકળતા ધુમાડાને કારણે અંદર સ્પષ્ટ રીતે જોવાનું મુશ્કેલ બન્યું હતું. તેમ છતાં, ફાયર બ્રિગેડ અને NDRFના કર્મચારીઓ તકેદારી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ વર્કર એક બાદ એક કાટમાળ અને સામાન દૂર કરી રહ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. જેમાં પરિસ્થિતિની સંપૂર્ણ ખાતરી કરવા માટે સેન્ટરના દરેક રૂમ ચેક કર્યા હતા.
ADVERTISEMENT
ડેપ્યુટી સીએમ પાઠકે જણાવ્યું હતું કે, આ ગંભીર અકસ્માત બાદ સરકારે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ ગૃહ અને DGPને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જેમાં સરકારે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે કડક સૂચનાઓ આપી છે.
#WATCH | On the Lucknow coaching institute fire incident, Uttar Pradesh Deputy CM Brajesh Pathak says, "Fourteen children have lost their lives in the incident, with four injured admitted to the KGMC Trauma Centre. Instructions have been issued for a high-level inquiry. The Chief… pic.twitter.com/ElzmQBIbgs
— ANI (@ANI) June 22, 2026
ADVERTISEMENT
આ અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે અકસ્માતના કારણો તે કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય તેની ખાતરી કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢમાં તેમના તમામ અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમો રદ કર્યા છે અને તેઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આ ઘટના કેવી રીતે અને શા માટે બની તેની વિગતો તપાસ રિપોર્ટ જાહેર થયા પછી જ જાણી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.