બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાતની વધુ એક લોકગાયિકાએ પ્રેમલગ્ન કરી લેતા ખળભળાટ, સમાજે કરી બહિષ્કારની અપીલ
Last Updated: 11:09 PM, 22 June 2026
ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કરી લેતાં આ નવો વિવાદ વકર્યો છે. સુરતમાં આરતી સાંગાણીના કિસ્સા બાદ પાટીદાર સમાજમાં વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો મામલો સામે આવતા સોશિયલ મીડિયાથી લઈને સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરા પર સમાજના અગ્રણીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
સુરતમાં પાટીદાર સમાજની ગાયિકા રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્ન પર કલાકાર અશોક મણિયાએ સમાજને કરી અપીલ #Surat #Patidar #RiddhiRajpara #AshokManiya #GujaratiMusic #VTVDigital pic.twitter.com/nIOBfPRebT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2026
આ વિવાદ વચ્ચે સુરતના લોકગાયક અશોક માણિયાએ ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "આ પ્રકારની ઘટનાઓથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠા પર ગંભીર છાંટા ઉડ્યા." વાલીઓને વિનંતી કરી કે દીકરીઓને આ સિંગિંગ લાઈનમાં ન મૂકો, કારણ કે અહીં અંતે દીકરીઓએ જ માત્ર ભોગ બનવું પડે છે. કલાકારોના મતે દીકરીઓને કેરિયરમાં આગળ વધારવા બીજી ઘણી સારી અને સુરક્ષિત લાઈનો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દુઃખદ / રહસ્ય ઘેરાયું! સુરતની હોટલમાં કપલે ઝેરી દવા ગટગટાવી, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર
ADVERTISEMENT
સુરતમાં પાટીદાર સમાજની ગાયિકા રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નનો વિવાદ પર બોલ્યાં કલાકાર લાલુ માલવિયા#Surat #RiddhiRajpara #LaluMalviya #Patidar #GujaratiMusic #MarriageControversy #VTVDigital pic.twitter.com/ckkWhouJ0G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2026
હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે અને કલા જગતમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ગાયક લાલુ માલવિયાએ સમાજના હિતમાં વાલીઓને અપીલ કરી છે કે હવેથી પાટીદાર સમાજની દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.