બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કોઈને પણ આ વસ્તુઓ ભેટમાં ન આપતાં, નહીંતર ઘરમાં આવશે કંગાળી

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / કોઈને પણ આ વસ્તુઓ ભેટમાં ન આપતાં, નહીંતર ઘરમાં આવશે કંગાળી

Last Updated: 10:34 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર ગીફ્ટનું મહત્વ છે. જયારે તમે કોઈને કોઈ વસ્તુ ગીફ્ટ કરવા માંગતા હોવ તો આડેધડ ગમે તે વસ્તુ ન આપી દેવી જોઈએ.

1/5

photoStories-logo

1. ગીફ્ટનું મહત્ત્વ

જ્યોતિષશાસ્ત્રમાં ગીફ્ટ અને દાન બંનેનું વિશેષ મહત્ત્વ છે. આ બંને વસ્તુઓનો હેતુ તદ્દન અલગ હોય છે. દાન મોટા ભાગે ગ્રહોની શાંતિ, દોષ અને પુણ્ય માટે કરવામાં આવે છે; જ્યારે ગીફ્ટ કોઈ ખાસ ઉત્સવ, સારા પ્રસંગે કે વ્યક્તિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. જેમાં ભેટ આપતી વખતે અમુક ખાસ સાવધાની રાખવી જોઈએ. ખોટી વસ્તુ કે ખોટા રંગના પેકિંગ પેપરમાં આપેલી ગીફ્ટ તમારા સંબંધો બગાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગીફ્ટમાં આ બાબતનું રાખવું ધ્યાન

ભેટમાં હંમેશા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ આપવી વધુ શુભ મનાય છે. આ સિવાય ઘર સુશોભનની વસ્તુઓ ઓછી ભેટ આપવી જોઈએ. મેકઅપ કે કોસ્મેટિક્સની સામગ્રી માત્ર નજીકની વ્યક્તિને જ આપવી જોઈએ. એક વ્યક્તિ પાસેથી મળેલી ભેટ બીજી વ્યક્તિને ન આપવી. જો તમે લવ લાઈફમાં હોવ અને તે પાર્ટનરને ગીફ્ટ આપવા માંગતા હોવ તો કાચની વસ્તુઓ કે તાજમહેલની આઈટમ ગીફ્ટમાં ન આપવી તેનાથી સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે. પૂરતી જાણકારી સિવાય ભગવાનની મૂર્તિ કે ફોટો ગીફ્ટ ન કરવી જોઈએ કેમ કે તેની યોગ્ય જાળવણી ન થાય તો તમને દોષ લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ 4 ગીફ્ટ શુભ

ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે. જેથી ચાંદીનો સિક્કો કે વાસણ ગીફ્ટમાં આપવાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. સાત સફેદ દોડતા ઘોડાની તસવીર કે મૂર્તિ ગીફ્ટ કરવાને શુભ મનાય છે. તે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ લાવે છે. ત્રીજા નંબરે માટીમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ ગીફ્ટમાં આવવાથી અટવાએલા પૈસા પરત મળે છે અને જીવનમાં સ્થિરતા પણ આવે છે. ચોથા નંબરે લાફિંગ બુદ્ધા કે ફેંગશુઈની વસ્તુઓ જાતે ખરીદવાને બદલે જો કોઈની તરફથી ગીફ્ટમાં આવી હોય તો તે ઘરમાં આર્થિક સમૃદ્ધી લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સંબંધના આધારે ગિફ્ટ

કોઈપણ સીનીયર વ્યક્તિ કે ગુરુતુલ્ય વ્યક્તિને હંમેશા પેન અથવા પુસ્તક ભેટમાં આપવું જોઈએ. પ્રેમ સંબંધોમાં ને સુગંધિત પરફ્યુમ, સુંદર વસ્ત્રો કે આકર્ષક ફૂલોની ભેટ આપવી જોઈએ .લગ્નના પ્રસંગે કપડાં, ઘરવખરીનો સામાન કે મીઠાઈ આપવા જોઈએ. જ્યારે ઘરમાં બાળકના જન્મ પ્રસંગે ચાંદીની કોઈ નાની વસ્તુ ભેટ આપવી જોઈએ. લાઈફ પાર્ટનરને ઘડિયાળ ગીફ્ટ કરવી શુભ મનાય છે.તો મિત્રોને હંમેશા ચોકલેટ કે મ્યુઝિક સાથે જોડાયેલી વસ્તુ ગિફ્ટ આપવી જોઈએ. જો તમે સંબંધો સુધારવા માંગતા હોવ તો તેને સુગંધિત મીણબત્તી કે ઘડિયાળગીફ્ટ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gift Vastu Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ