બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:30 PM, 28 June 2026
ઘણા લોકો તુલસીની સૂકાઈ ગયેલી મંજરીને સામાન્ય કચરા સમજીને ફેંકી દેતા હોય છે. જોકે વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. તુલસીની મંજરી ઘરમાં સકારાત્મક ઊર્જા, સુખ-સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ સાથે જોડાયેલી માનવામાં આવે છે. યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘરમાં શુભતા અને શાંતિ લાવવામાં મદદરૂપ બની શકે છે.
ADVERTISEMENT
તુલસીના છોડ પર મંજરી આવવી એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તે દર્શાવે છે કે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ છે અને માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર બની રહી છે. તુલસીનો છોડ જેટલો સ્વસ્થ અને હરિયાળો હોય, તેટલું ઘરનું વાતાવરણ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ઘણા લોકો ભક્તિભાવથી તુલસીની મંજરી તોડતા નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર વધુ પડતી મંજરી છોડ પર રહે તો તે છોડ પર ભાર વધારી શકે છે. પરિણામે તુલસીનો છોડ ધીમે ધીમે નબળો પડીને સૂકાઈ શકે છે.ઘરમાં તુલસીનો છોડ સૂકાઈ જવો શુભ માનવામાં આવતો નથી. તેથી જ્યારે મંજરી પાકી જાય અથવા સૂકાવા લાગે ત્યારે તેને સમયસર તોડી લેવી જોઈએ. આથી છોડને નવી વૃદ્ધિ માટે શક્તિ મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો ઘરમાં આર્થિક મુશ્કેલીઓ ચાલી રહી હોય તો સૂકાયેલી તુલસીની મંજરીને સ્વચ્છ લાલ અથવા પીળા કપડામાં બાંધી નાની પોટલી બનાવો. આ પોટલીને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવાની માન્યતા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય ધનની વૃદ્ધિ અને આર્થિક અવરોધોને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે.
ADVERTISEMENT
ઘરમાં નકારાત્મકતા દૂર કરવા માટે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતા સમયે તેમાં થોડી સૂકી મંજરી ઉમેરી શકાય છે. તેની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે અને મનને શાંતિનો અનુભવ કરાવે છે. ઘણા લોકો તેને ઘરની સકારાત્મક ઊર્જા વધારવાનો ઉપાય માને છે.
ADVERTISEMENT
જો તમને માનસિક તણાવ, ચિંતા અથવા થાક અનુભવાતો હોય તો સ્નાનના પાણીમાં થોડું તુલસી મંજરી નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા મુજબ આ ઉપાય મનને શાંતિ આપે છે અને તાજગીનો અનુભવ કરાવે છે.
દર શુક્રવારે તાજી અથવા સૂકાયેલી તુલસી મંજરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.

આ પણ વાંચોઃ ઘરમાં સાપ દેખાય તો તમારી સાથે થવાની છે મોટી ઘટના! જાણો સંકેત
તુલસીનો છોડ હંમેશા ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે.
તુલસીની આસપાસ ગંદકી, જૂતાં-ચપ્પલ અથવા ઝાડુ જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. તુલસીનું સ્થાન હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઈએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિવાર એકાદશી અને રાત્રિના સમયે તુલસીના પાંદડા અથવા મંજરી તોડવી ટાળવી જોઈએ. તોડેલી મંજરીને ક્યારેય કચરામાં ન ફેંકો. તેને ભગવાનને અર્પણ કરો અથવા કોઈ પવિત્ર માટીમાં દાટી દો.
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.