બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વળાંક, સરકાર ચર્ચા માટે તૈયાર, ખેડૂતોને મળ્યું આમંત્રણ
Last Updated: 03:42 PM, 28 June 2026
મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી 6 મુખ્ય માંગણીઓને લઈને હવે રાજ્ય સરકાર ચર્ચા અને સંવાદ માટે આગળ આવી છે.
ADVERTISEMENT
મંત્રણામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ખેડૂતોને સરકાર સાથે મંત્રણામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે કલેક્ટર મારફતે ખેડૂતોને સંદેશ પાઠવ્યો છે કે તેમની માંગણીઓ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા સરકાર તૈયાર છે.
ADVERTISEMENT

ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ADVERTISEMENT
સરકારે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે ખેડૂતોને સંવાદ માટે આમંત્રણ આપતાં જણાવ્યું છે કે ચર્ચા અને પરસ્પર સમજણના આધારે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ADVERTISEMENT
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે સરકાર ખેડૂતોની રજૂઆતો સાંભળવા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે. આથી આંદોલનનો ઉકેલ સંવાદના માર્ગે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ 'બચાવો બચાવો', મહેસાણા રેલ્વે સ્ટેશન પર મહિલા મુસાફર સાથે બબાલ થતા ટીસીએ બૂમો પાડી
ADVERTISEMENT
હવે ખેડૂતો સરકારના આ આમંત્રણનો શું પ્રતિસાદ આપે છે અને આગામી મંત્રણામાં શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.