બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જે લખપતિ દીદીનો PM મોદીએ કર્યો હતો ઉલ્લેખ, જાણો તમે કઇ રીતે તેનો લાભ ઉઠાવી શકો
Last Updated: 11:30 AM, 16 August 2025
ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ અનુસાર લખપતિ દીદીનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે ઉત્પાદક સાહસો (PE)ને સમૃદ્ધિ તરફ પ્રોત્સાહન આપવાનો છે. આજે દેશભરમાં બે કરોડ લખપતિ દીદીઓ છે. મહિલા સશક્તિકરણની સાથે તેમને આર્થિક રીતે આત્મનિર્ભર પણ બનાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના હેતુથી જાહેરાતો કરી. આ સાથે તેમણે અન્ય ઘણી પહેલની પણ જાહેરાત કરી હતી. આ બધા ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં 'લખપતિ દીદી'નો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે આજે લખપતિ દીદી આપણી સામે બેઠી છે. આજે દેશભરમાં બે કરોડ લખપતિ દીદીઓ છે. મહિલા સશક્તિકરણની સાથે તેમને આર્થિક રીતે આત્મનિર્ભર પણ બનાવવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે લખપતિ દીદી યોજના શું છે તમે કેવી રીતે અરજી કરી શકો છો.
લખપતિ દીદી યોજના
ADVERTISEMENT

ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇટ અનુસાર લખપતિ દીદીનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા પાયે ઉત્પાદક સાહસો (PE) ને સમૃદ્ધિ તરફ પ્રોત્સાહન આપવાનો છે, જેથી સભ્યોને મોટું અર્થતંત્ર, સારી સોદાબાજી ક્ષમતા, આધુનિક બજારની ઍક્સેસ, નાણાકીય સાક્ષરતા અને ઉચ્ચ સ્તરનું વ્યવસાય સંચાલન મળે. કેન્દ્ર સરકાર ખેતીમાં સુધારો કરવા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે હેઠળ સરકાર ડ્રોનની મદદથી ખેતી પર પણ મોટા સ્તરે કામ કરી રહી છે. 'લખપતિ દીદી' ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે સંબંધિત છે.
ADVERTISEMENT
મોદી સરકારની આ યોજના હેઠળ મહિલાઓને વ્યાજ વગર 5 લાખ સુધીની લોન મળે છે. ઘણી બધી કામની તકો પૂરી પાડવામાં આવે છે. આ યોજના સાથે સ્વ-સહાય જૂથો (SHGs) સાથે સંકળાયેલી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું સરકારનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
આ પણ વાંચો: રેલવેમાં નોકરીની તક ચૂકતા નહીં! 2416 જગ્યા પર બમ્પર ભરતી, ફટાફટ કરો એપ્લાય
ADVERTISEMENT
આ યોજના 15ઓગસ્ટ 2023થી શરૂ થઈ
કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી લખપતિ દીદી યોજના 15ઓગસ્ટ 2023થી શરૂ થઈ હતી. આ અંતર્ગત મહિલાઓને 1થી 5લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન મળી શકે છે. મહિલાઓને કૌશલ્ય તાલીમ અને માર્કેટિંગ સહાય પણ આપવામાં આવે છે. સરકારે 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
ADVERTISEMENT
યોજનાની પાત્રતા જાણો
18થી 50વર્ષની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે. પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. મહિલાઓ માટે સ્વ-સહાય જૂથનો ભાગ બનવું જરૂરી છે.
ADVERTISEMENT

આ રીતે યોજનામાં જોડાઓ
જો તમે કોઈપણ સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલા નથી, તો તમારા નજીકના ગ્રામીણ વિકાસ કાર્યાલય અથવા બિન-સરકારી સંગઠનનો સંપર્ક કરો. જૂથમાં જોડાયા પછી, તમને યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે. યોજના હેઠળ મહિલાઓને ઘણા કામોમાં મફત તાલીમ પણ આપવામાં આવે છે. આમાં મરઘાં ઉછેર, હસ્તકલા, દૂધ ઉત્પાદન, LED બલ્બ ઉત્પાદન જેવા વ્યવસાયો વિશે માહિતીનો સમાવેશ છે જેથી મહિલાઓને આત્મનિર્ભર બનાવી શકાય.
આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો
જો તમે ઇચ્છો તો તમે ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો. તમે સ્થાનિક SHG કાર્યાલય, ગ્રામીણ વિકાસ વિભાગ અથવા બેંકમાં ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરીને ઓફલાઈન અરજી કરી શકો છો. જેના માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, વ્યવસાય યોજનાની નકલની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.