ન્યૂઝ ઉપડેટસ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેન્શન નિયમોમાં મોટો ફેરફાર, એકવાર જરૂરથી વાંચી લેજો PFRDAની ગાઇડલાઇન્સ
Last Updated: 08:37 AM, 13 December 2025
દેશના પેન્શન રેગ્યુલેટર PFRDAએ સરકારી કર્મચારીઓની પેન્શન સ્કીમના રોકાણ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ લાગુ થઈ ચુક્યા છે અને પહેલા લાગુ કરાયેલી તમામ ગાઈડલાઈન્સને પણ એક જ માસ્ટર સર્કુલરમાં જોડીને સરળ બનાવી દીધી છે.જેનો હેતુ કર્મચારીના રિટાયર્ડમેન્ટ સેવિંગ્સને વધુ સુરક્ષિત અને રોકાણ પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવાનો છે.
ADVERTISEMENT
સરકાર અને રાજ્ય સકકારના કરોડો કર્મચારી NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં સામેલ છે. જ્યારે સામાન્ય નાગરિક અટલ પેન્શન યોજના હેઠળ રોકાણ કરે છે. PFRDAનું કહેવું છે કે નવી ગાઈડલાઈન્સથી એ સ્પષ્ટ થઈ જશે કે પેન્શન ફંડ લોકોની મહેનતની કમાણી કયા અને કેટલી ટકાવારીમાં લગાવે છે. આનાથી રોકાણનું જોખમ ઘટશે અને રિટર્ન સ્થિર થઈ શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા નિયમો હેઠળ પેન્શન ફંડને તેનો એક મોટો ભાગ સુરક્ષિત રોકાણ ઓપ્શનમાં રાખવો પડશે. હવે પેન્સન ફંડ 65 ટકા સુધી પૈસા સરકારી સિક્યોરિટીઝમાં લગાવી શકે છે. સરકારી બોન્ડ સૌથી સુરક્ષિત ગણાય છે, એટલા માટે જ રિટાયરમેન્ટ સેવિંગ્સની સુરક્ષા માટે આ સૌથી મોટું પગલું છે.
આ ઉપરાંત કોર્પોરેટ બોન્ડ અને અન્ય ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં મહત્તમ 45 ટકા રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે તેના માટે PFRDAએ મિનીમમ રેટિંગને લઈને કડક નિયમ બનાવ્યા છે. જેથી કોઈ ફંડ વધુ જોખમ વાળા બોન્ડમાં પૈસા ન લગાવે.
ADVERTISEMENT

ADVERTISEMENT
PFRDAએ ઈક્વિટીમાં રોકાણની મહત્તમ મર્યાદા 25 ટકા નક્કી કરી છે. ફંડ આઈપીઓ, એફપીઓ, ઓએફએસ અને ઈન્ડેક્સ આધારિત રોકાણ દ્વારા શેર ખરીદી શકશે. શેર માર્કેટને સામાન્ય રીતે વધારે ઉતારચઢાવ વાળું માનવામાં આવે છે, એટલા માટે મર્યાદા નક્કી કરવાથી જોખમ કંટ્રોલમાં રહેશે.
ADVERTISEMENT
મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં 10 ટકા જ્યારે REITs, InvITs અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ જેવા વિકલ્પોમાં 5 ટકા સુધી રોકાણની છૂટ આપવામાં આવશે. આ વિકલ્પો પર લિમીટ એટલા માટે રાખવામાં આવી છે જેથી ફંડ્સ હાઈ રિસ્ક કેટેગરીમાં જરૂર કરવા વધારે પૈસા ન નાંખે.

આ પણ વાંચોઃ એ 4 કારણ, જેના કારણે ડૉલરના મુકાબલે રૂપિયો થયો ધડામ
નવી ગાઈડલાઈન્સમાં એક મોટો ફેરફાર એ પણ છે કે ફંડને તેના રોકાણ પોર્ટફોલિયોની સતત દેખરેખ રાખવી પડશે. જો ઈન્ડેક્સમાં ફેરફાર હોય કે કોઈ રોકાણની ગુણવત્તા ઓછી થાય તો ફંડને પોર્ટફોલિયો ફરી બેલેન્સ કરવું પડશે. આનાથી એ નક્કી થશે કે સબ્સસ્ક્રાઈબર્સની કમાણી હંમેશા સુરક્ષિત છે અને જોખમ લિમીટેડ છે.
PFRDAના કહ્યા પ્રમાણે આ આખુ ફ્રેમવર્ક સરકારી કર્મચારીઓ અને APYના લાભાર્થીઓની લાંબી બચતની મુદતને વધુ સુરક્ષિત, સ્થિર અને પારદર્શી બનાવશે. સરળભાષામાં કહીયે તો હવે તમારા પેન્શનના પૈસા વધુ સુરક્ષિત અને સ્પષ્ટતા સાથે રોકાણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.