બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે પેટ્રોલમાં 86 ટકા ઈથેનોલ, સરકારે બહાર પાડ્યું ડ્રાફ્ટ નોટિફિકેશન

નેશનલ / હવે પેટ્રોલમાં 86 ટકા ઈથેનોલ, સરકારે બહાર પાડ્યું ડ્રાફ્ટ નોટિફિકેશન

Ajitsinh Jadeja

Last Updated: 05:02 PM, 29 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

E85 Petrol: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

E85 Petrol: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ડ્રાફ્ટમાં પેટ્રોલમાં ભેળવવામાં આવતા ઇથેનોલની માત્રા વધારવા અને E85 ઇંધણનો સમાવેશ કરવાની જોગવાઈઓ શામેલ છે. અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કાર કંપનીઓને નવા ઇંધણ માટે તૈયારી થવાની વાત કહી હતી.

સરકાર હવે પેટ્રોલના વધતા ભાવો અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધુ ઇથેનોલ મિશ્રણ માટે નિયમો પ્રસ્તાવિત કરતો ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યો છે. જો તેનો અમલ કરવામાં આવે તો ભવિષ્યમાં વાહનો સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલી શકશે.

નવો પ્રસ્તાવ શું છે?

27 એપ્રિલના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ મોટર વાહન કાયદા હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું. તેનો હેતુ ઇમીશનથી જોડાયેલ નિયમો, ફ્યૂલ ક્લાસિફિકેશન અને હાઇ ઇથેનોલ બ્લેંડ સંબંધિત તકનીકી શરતોમાં સુધારો કરવાનો છે. આ દરખાસ્તમાં E85 અથવા E100 સુધીના ઇંધણ માટે વાહન ધોરણોનો સમાવેશ કરવા માટે સેન્ટ્રલ મોટર વાહન નિયમો 1989 માં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. અગાઉ આ મર્યાદા ફક્ત E85 સુધી મર્યાદિત હતી.

આ ફેરફારો હેઠળ પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણ માટેની મર્યાદા E10 થી વધારીને E20 કરવામાં આવી રહી છે. B100 બાયોડીઝલ માટે પણ જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર હવે ઉચ્ચ-મિશ્રણ ઇંધણની સંપૂર્ણ શ્રેણીને ટેકો આપવા માટે નિયમો બનાવી રહી છે. સરકારે હાલમાં પબ્લિક કમેંટ માટે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં જાહેર જનતા અને ઉદ્યોગ બંનેને તેમના મંતવ્યો આપવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર બધા સૂચનો પ્રાપ્ત કર્યા પછી અંતિમ નિર્ણય લેશે.

નોંધનીય છે કે E20 ઇંધણ ગયા વર્ષે એપ્રિલમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. હવે સરકાર આનાથી આગળ વધી રહી છે અને વધુ ઉચ્ચ મિશ્રણ તરફ આગળ વધી રહી છે. સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત ઘટાડવાનો છે. વધુ ઇથેનોલ ઉમેરવાથી ક્રૂડ તેલની જરૂરિયાત ઓછી થશે, દેશને આર્થિક લાભ થશે અને પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ નેશનલ / VIDEO : પૈસા આપવાની ના પાડતાં ભાઈ કબર ખોદીને બહેનનુ કંકાલ લઈને બેન્ક આવ્યો, પછી બન્યું હેરાનીભર્યું

જો આ નિયમો લાગુ કરવામાં આવે છે, તો ભવિષ્યમાં લોકોને નવા ઇંધણ વિકલ્પોની ઍક્સેસ મળશે. જો કે આ માટે વાહનોમાં ફેરફારોની જરૂર પડશે જેથી ખાતરી કરી શકાય કે તેઓ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણો પર કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે. આ ફેરફાર ધીમે ધીમે લાગુ કરવામાં આવશે, પરંતુ તેનાથી દેશની ઇંધણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Nitin Gadkari Ethanol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ