બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:15 AM, 3 May 2026
Delhi AC Blast: રવિવારની વહેલી સવાર દિલ્હી માટે ગોઝારી બનીને આવી હતી. જેમાં દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આગનું કારણ એસી બ્લાસ્ટ છે. હાલ રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Delhi: Bodies being taken out from the building in Vivek Vihar, Shahdara, where the fire broke out this morning.
— ANI (@ANI) May 3, 2026
As per the Delhi police, 9 people died in the incident. https://t.co/1FwBNc1RUz pic.twitter.com/GwLFcoEihR
દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાના અહેવાલો છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની ગંભીરતા એથી સમજાઈ શકે છે કે ફાયર વિભાગને સવારે લગભગ 3:47 વાગ્યે કોલ મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે શોધ અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
ADVERTISEMENT
#UPDATE | During preliminary enquiry, it has been found that nine persons have lost their lives in the said fire incident. Fire was found in the flats situated on the 2nd, 3rd and 4th floors. During rescue and fire extinguishing operations, 10/15 persons were rescued from the… https://t.co/FVJWxN99sr
— ANI (@ANI) May 3, 2026
માહિતી મળતાં જ કુલ 14 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા સાથે સાથે ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘનિષ્ટ ધુમાડા વચ્ચે પણ ટીમોએ બહાદુરીપૂર્વક કામગીરી કરી અને 12થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી. આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ હાલ સ્થળ પર કુલિંગ ઓપરેશન ચલાવી રહ્યું છે જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું મુખ્ય કારણ એર કન્ડીશનર (AC) બ્લાસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ બિલ્ડિંગના બીજા માળે આવેલા એક ફ્લેટમાંથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં ત્રીજા માળે ફેલાઈ ગઈ હતી. ત્રીજા માળે રહેતા લોકો પોતાને બચાવવા ટેરેસ તરફ ભાગ્યા હતા. પરંતુ ટેરેસનો દરવાજો બંધ હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને દુર્ભાગ્યવશ આગમાં ફસાઈ ગયા હતા. સાથે જ બીજા માળે હાજર ચાર લોકો પણ આ આગમાં જીવ ગુમાવી બેઠા હતા. અધિકારીઓ હવે ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.