બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કોંગો સ્વરૂપમાં ફેરફારો જોવા મળ્યા છે. જો કે ભારતમાં અત્યાર સુધી જે સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે તેમાં આવા ફેરફારો થયા છે કે કેમ? તે અંગે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની એક ટીમે અભ્યાસ શરૂ કર્યો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે અભ્યાસથી વાયરસની ગંભીરતા જાણી શકાશે જેથી તેને અટકાવી શકાય. એવા ઘણા કેસ છે જેમાં કોઈ લક્ષણો દેખાતા નથી. નવી દિલ્હી સ્થિત IGIBના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. વિનોદ સ્કરિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યુકેથી એક દર્દી અમેરિકા પહોંચ્યો હતો, જે મંકીપોક્સથી સંક્રમિત હતો. પરંતુ તેની જાતીય સંપર્ક, વાયરલ પ્રોડ્રોમ અથવા ઘા (wound)ની કોઈ હિસ્ટ્રી જોવા મળી નહોતી. જેના કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં છે.
ADVERTISEMENT
.jpg)
કેરળમાં એક યુવકનું મોત
તેમણે કહ્યું કે, ઘણા દેશોમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સંક્રમણના કોઈ લક્ષણો નથી. આવો જ એક કિસ્સો ભારતમાં પણ નોંધાયો હતો જ્યારે કેરળમાં એક યુવકનું મોત થયું હતું. મૃતક યુવકની ત્વચા પર કોઈ ઘા નથી.
ADVERTISEMENT
ભારત માટે જીવલેણ નથી મંકીપોક્સ
ભૂતપૂર્વ ICMR ના નિષ્ણાત ડૉ. રમણ ગંગાખેડકરે જણાવ્યું હતું કે, “મંકીપોક્સ ચેપ ભારત માટે જીવલેણ નથી, કારણ કે યુએસ અને યુકેની સરખામણીમાં આપણા દેશમાં હાલની પરિસ્થિતિ તદ્દન અલગ છે. જો કે, તેમણે પેથોલોજી અનુસાર ચેપનું નિરીક્ષણ ચાલુ રાખવાની પણ સલાહ આપી છે.

ADVERTISEMENT
મંકીપોક્સ ટેસ્ટ કીટ, રસી બનાવવા માટે 31 કંપનીઓએ અરજી કરી
અત્યાર સુધીમાં 31 કંપનીઓને મંકીપોક્સ વાયરસ ટેસ્ટ કીટ અને રસીના ઉત્પાદન માટે અરજીઓ કરી છે. તેમાંથી આઠ લોકોએ રસી માટે રસ દાખવ્યો છે. તેમાં પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, રિલાયન્સ લાઇફ સાયન્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, બાયોલોજિકલ ઇ, મુંબઈમાં હફકિન ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.