ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં ઊંઘ આવી અને તમારું સ્ટેશન પાછળ રહી ગયું? રેલવેના નિયમ મુજબ હવે પાછા કેવી રીતે ફરશો-ફરી ટિકિટ લેવી પડશે કે નહીં!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:16 PM, 13 September 2026
1/6
રેલવે મુસાફરી દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે ઘણા યાત્રીઓ સાથે એવું બનતું હોય છે કે ઊંઘ આવી જવાને કારણે તેમનું ડેસ્ટિનેશન સ્ટેશન પાછળ રહી જાય છે. જ્યારે આંખ ખુલે ત્યારે ટ્રેન નિશ્ચિત સ્ટેશનથી ઘણી આગળ નીકળી ચૂકી હોય છે. આવી સ્થિતિમાં મુસાફરોના મનમાં સૌથી પહેલો સવાલ એ ઊઠે છે કે શું રેલવે જૂની ટિકિટ પર જ મફતમાં પાછા જવાની મંજૂરી આપે છે કે પછી નવી ટિકિટ ખરીદવી પડે છે?
2/6
ભારતીય રેલવેના નિયમ અનુસાર, જો કોઈ મુસાફર ઊંઘાઈ જવાના કારણે પોતાનું સ્ટેશન ચૂકી જાય, તો રેલવે તેને જૂની ટિકિટ પર મફતમાં પાછા પહોંચાડવા માટે બંધાયેલી નથી. તમે જે ટિકિટ ખરીદી છે તે માત્ર એક ચોક્કસ દિશા અને સ્ટેશન સુધીની યાત્રા માટે જ માન્ય ગણાય છે. તેથી તે જ ટિકિટ બતાવીને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરવાનો કોઈ કાનૂની અધિકાર મળતો નથી.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
રાત્રિની સફરમાં આવી મુશ્કેલીથી બચવા માટે સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના ફોનમાં સ્ટેશન આવવાના અડધા કલાક પહેલાંનું એલાર્મ ગોઠવી દેવું. આ સિવાય સહપ્રવાસીઓ અથવા કોચ અટેન્ડન્ટને પણ પોતાના ઉતરવાના સ્ટેશન વિશે અગાઉથી કહી રાખવું જોઈએ. થોડી સાવચેતી રાખવાથી સમય અને બિનજરૂરી ખર્ચ બંને બચાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ