બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં ઊંઘી ગયા અને સ્ટેશન નીકળી ગયું? તરત જાણો પાછા ફરવાનો સરળ રસ્તો
Last Updated: 09:15 PM, 27 July 2026
રાત્રે ટ્રેનમાં મુસાફરી કરવી ઘણી આરામદાયક લાગે છે પરંતુ જો તમારું ગંતવ્ય સ્ટેશન મધરાતે આવવાનું હોય તો યાત્રીઓને ઊંઘવામાં પણ ચિંતા સતાવે છે કે ક્યાંક આંખ લાગી જાય અને સ્ટેશન છૂટી જાય તો શું થશે? આવી બીક રહે છે. પરંતુ રેલવેની અમુક મહત્વની સુવિધાઓ અને નિયમો આવી સ્થિતિમાં તમારી મદદ કરી શકે છે.
ADVERTISEMENT
જો તમે ઊંઘમાં સ્ટેશન મિસ થઇ જાઓ અને ટ્રેન આગળ વધી જાય તો તરત જ ટ્રેનમાં હાજર TTE સાથે વાત કરો. તેમને આખી વાત સમજાવો. જરૂર પડે તો TTE તમને જર્ની એક્સ્ટેન્શન અંગે માર્ગદર્શન આપી શકે છે.
ADVERTISEMENT
જો કોઈ મુસાફર પોતાના સ્ટેશનથી આગળ વધી જાય તો રીટર્ન માટે તેને નવું જનરલ કે રિઝર્વેશન ટિકિટ લેવું પડે છે. વગર ટિકિટે મુસાફરી કરવાથી તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ADVERTISEMENT
જો તમારી ભૂલને બદલે રેલવેની ભૂલને કારણે સ્ટેશન છૂટી જાય જેમ કે ટ્રેન અચાનક રૂટ બદલી લે કે પ્લેટફોર્મ બદલાઈ જાય તો તમે TDR દ્વારા રિફંડ મેળવી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે TDR નિશ્ચિત સમયમર્યાદામાં જ ફાઈલ કરવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાત્રે મુસાફરી કરતી વખતે સૂતા પહેલા અલાર્મ ચોક્કસ લગાવી લો. તમારી ટ્રેન ક્યારે સ્ટેશન પર આવે છે તેની સમયસર નજર રાખો. આ સિવાય આસપાસના સાથી મુસાફરોને પણ તમારા સ્ટેશન વિશે જણાવી દો જેથી તેઓ પણ તમને યાદ અપાવી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.