બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / ખતરામાં છે કરોડો સ્માર્ટફોન યુઝર્સ! સરકારને મળી મોટી ખામી, ફોન થઇ શકે છે હેક
Last Updated: 05:57 PM, 9 May 2026
ભારતમાં લાખો એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાયબર ખતરાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ ક્વાલકોમ સ્નેપડ્રેગન ચિપસેટમાં અનેક ગંભીર સિક્યોરીટી કમજોરી વિશે ચેતવણી જાહેર કરી છે. આ કમજોરીના લીધે હેકર્સ ફોનમાં ઘૂસણખોરી કરી શકે છે, ડેટા ચોરી શકે છે, એપ્લિકેશનો ક્રેશ કરી શકે છે અને સિસ્ટમ કંટ્રોલનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT
જેમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ કમજોરી માત્ર ફ્લેગશિપ ફોન સુધી લીમીટેડ નથી. પણ બજેટ અને મિડ-રેન્જ ડિવાઇસ પણ આની ચપેટમાં છે. આથી યુઝર્સને તાત્કાલિક તેમના ફોન અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
CERT-In ની લેટેસ્ટ સલાહ મુજબ આ કમજોરી અનેક ફેમસ ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસરમાં જોવા મળી છે. જેમાં સ્નેપડ્રેગન 8મી જનરલ સિરીઝ, સ્નેપડ્રેગન 7મી સિરીઝ, સ્નેપડ્રેગન 6ઠ્ઠી સિરીઝ, સ્નેપડ્રેગન 4થી જનરલ સિરીઝ અને સ્નેપડ્રેગન 888 જેવા ચિપસેટનો સમાવેશ થાય છે. મતલબ કે, પ્રીમિયમ ફ્લેગશિપથી લઈને બજેટ સ્માર્ટફોન સુધીના સ્માર્ટફોન આ કમજોરીના લપેટામાં આવી શકે છે.

ADVERTISEMENT
આ અંગે એજન્સીએ સમજાવ્યું કે આ કમજોરી હેકર્સને રિમોટ કોડ એક્ઝિક્યુશન, મેમરી કરપ્શન, સર્ઇવિસ ડનાઈલ અને પ્રીવલેજ વધારવા જેવા સાયબર હુમલાઓ શરૂ કરવાનો ખતરો વધારી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો સાયબર ગુનેગાર તમારા ફોનની સિસ્ટમમાં પ્રવેશ મેળવી શકે છે અને સંવેદનશીલ માહિતી ચોરી શકે છે.
ADVERTISEMENT
આ સુરક્ષા ખામીની અસર માત્ર એપ્લિકેશન ક્રેશ સુધી મર્યાદિત નથી. હેકર્સ આ કમજોરીનો ઉપયોગ કરીને ફોન પર સામેલ વ્યક્તિગત ડેટા, બેંકિંગ માહિતી, ફોટા, પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ ડોક્યુમેન્ટ ઍક્સેસ કરી શકે છે. અમુક કિસ્સાઓમાં, ડિવાઈઝની સમગ્ર સિસ્ટમ સાથે ચેડા થઈ શકે છે.
CERT-In એ જણાવ્યું હતું કે આ સમસ્યા મેમરી કરપ્શન, બફર ઓવરફ્લો, કમજોર ઇનપુટ માન્યતા અને વુઈક વેલીડેશન જેવી ટેકનીકલ ખામીઓને કારણે થાય છે. આ ખતરો માત્ર સ્માર્ટફોન પૂરતો મર્યાદિત નથી. જેમાં ટેબ્લેટ, વાયરલેસ ડિવાઈઝ, નેટવર્કિંગ પ્રોડક્ટ, ઓટોમોટિવ સિસ્ટમ્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ડિવાઈઝ પણ પ્રભાવિત થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરકારી એજન્સીએ બધા યુઝર્સ અને સંસ્થાઓને તાત્કાલિક લેટેસ્ટ સિક્યોરીટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. સ્માર્ટફોન કંપનીઓ આ કમજોરીને દૂર કરવા માટે ધીમે ધીમે પેચ બહાર પાડી રહી છે આથી તમારા ફોનની સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ્સ તપાસવાનું ભૂલશો નહીં. આ સિવાય અજાણી વેબસાઇટ્સ કે થર્ડ પાર્ટી સ્ત્રોતોમાંથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાનું ટાળો. અપડેટ્સના અભાવે જૂના ફોન ઘણીવાર વધુ સંવેદનશીલ બને છે. આથી સિક્યોરીટી પેચને અવગણવા મોંઘા પડી શકે છે. જો તમારો ફોન અચાનક સ્લો પડી જાય, એપ્સ ઓટોમેટીક બંધ થઈ રહી હોય, કે બેટરી ઝડપથી ખતમ થઈ રહી હોય તો તમારે તાત્કાલિક તમારા ડિવાઇસની તપાસ કરાવવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.