બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:56 PM, 7 April 2026
World News: ઈરાનમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં નાગરિકોને 48 કલાક સુધી ઘરમાં રહેવા અને આવજાવ ટાળવા વિનંતી કરવામાં આવી છે. તેમને લશ્કરી ઠેકાણા, વિદ્યુત ઇસ્ટોલેશન અને ઉપરના માળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારત સરકારે નાગરિકોને દૂતાવાસની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. યુએસ-ઇઝરાયલી હુમલાઓને કારણે પરિસ્થિતિ ગંભીર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને હોર્મુઝ સ્ટ્રેટ વિશે પણ ચેતવણી આપી છે.
ADVERTISEMENT
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હુમલાઓ વચ્ચે ભારતીય દૂતાવાસે ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એક નવી એડવાઇઝરી જારી કરી છે. દૂતાવાસે સ્પષ્ટપણે કહ્યું છે કે બધા ભારતીયોએ સુરક્ષિત રહેવું જોઈએ અને આગામી 48 કલાક સુધી કોઈપણ હિલચાલ ટાળવી જોઈએ. ભારતીય દૂતાવાસે જારી કરેલા સૂચનોમાં જણાવાયું છે કે નાગરિકોએ વિદ્યુત ઠેકાણા, લશ્કરી ઠેકાણા અને બહુમાળી ઇમારતોના ઉપરના માળથી દૂર રહેવું જોઈએ. વધુમાં દરેકને ઘરની અંદર રહેવા અને કોઈપણ હાઇવે મુવમેંટ પહેલાં દૂતાવાસ સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે.
દૂતાવાસે એ પણ સ્પષ્ટતા કરી છે કે દૂતાવાસે બુક કરેલી હોટલોમાં રહેતા ભારતીયોએ હાલ પૂરતું બહાર ન જવું જોઈએ અને ત્યાં સુરક્ષિત રહેવું જોઈએ. તમામ વ્યક્તિઓને દૂતાવાસી ટીમ સાથે સતત સંપર્ક જાળવવા અને સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ એડવાઇઝરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે યુએસ અને ઇઝરાયલી હુમલાઓએ ઈરાની રસ્તાઓ, રેલ્વે પુલ, રહેણાંક ઇમારતો અને ખાર્ગ ટાપુના મુખ્ય તેલ કેન્દ્રને નિશાન બનાવ્યું છે. વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલયે પણ નાગરિકોને ચેતવણી જારી કરી છે, જેમાં તેમને જ્યાં છે ત્યાં આશ્રય લેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાનના સૌથી મોટા ઓઈલ ડેપો પર અમેરિકાનો હુમલો, આખા દ્વિપમાં ભયાનક વિસ્ફોટ
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી જારી કરી છે
ADVERTISEMENT
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી જારી કરી છે, ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો નાકાબંધી હટાવશે નહીં, તો ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે ઈરાનને બુધવારે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યાની સમયમર્યાદા આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.