બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણાના શોભાસણમાં કરુણ અકસ્માત, માલગાડીની અડફેટે ત્રણ કિશોરોના મોત, ગામમાં શોકની લાગણી
Last Updated: 11:22 PM, 3 June 2026
મહેસાણા જિલ્લાના શોભાસણ ગામ નજીક બુધવારે સાંજે બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન કરી દીધું છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફેટે આવતા ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં. આ હૃદયદ્રાવક અકસ્માત બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT

ત્રણ કિશોરો રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા
ADVERTISEMENT
માહિતી અનુસાર, સાંજે આશરે 4:26 વાગ્યે શોભાસણ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા ત્રણ કિશોરો રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઝડપથી આવી રહેલી માલગાડીની અડફેટે તેઓ આવી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય કિશોરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

ADVERTISEMENT
મૃતકોના નામ
મૃતકોમાં 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર (15), મૌલિકજી ફતેહસિંહ ઠાકોર (16) અને યુવરાજ રણજીતજી ઠાકોર (14)નો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પોતાના ભવિષ્યના સપનાઓ ગૂંથી રહ્યા હતા, પરંતુ અચાનક બનેલી આ ઘટનાએ પરિવારોને અસહ્ય આઘાત આપ્યો છે.
ADVERTISEMENT

ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જ્ઞાન સહાયક ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, વયમર્યાદા કરાઈ આટલી
ADVERTISEMENT
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર શોભાસણ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે અને ગામલોકો દ્વારા મૃતક કિશોરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.