બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 PM, 17 May 2026
UAE ના અલ-અફ્રા ક્ષેત્રમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર ડ્રોન હુમલામાં પાવર જનરેટરમાં આગ લાગી હતી. અબુ ધાબી મીડિયા ઓફિસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી અને રેડિયોલોજીકલ સલામતી સ્તરને કોઈ અસર થઈ નથી.
ADVERTISEMENT
UAE એ નિવેદન જારી કરીને કઈ માહિતી આપી?
અબુ ધાબી મીડિયા ઓફિસે રવિવાર (17 મે, 2026) ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ ઘટના શેર કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "અલ-ધફ્રા ક્ષેત્રમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આંતરિક પરિમિતિની બહાર પાવર જનરેટરમાં આગ લાગવાની ઘટના પર અબુ ધાબીના અધિકારીઓએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. આ આગ ડ્રોન હુમલાને કારણે લાગી હતી. કોઈ ઈજાના અહેવાલ નથી, અને રેડિયોલોજીકલ સલામતી સ્તરને કોઈ અસર થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને નવી માહિતી ઉપલબ્ધ થતાં વધુ અપડેટ્સ જારી કરવામાં આવશે.
ADVERTISEMENT
Authorities in Abu Dhabi responded to a fire incident that broke out in an electrical generator outside the inner perimeter of the Barakah Nuclear Power Plant in the Al Dhafra Region, caused by a drone strike. No injuries were reported, and there was no impact on radiological…
— مكتب أبوظبي الإعلامي (@ADMediaOffice) May 17, 2026
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશન (FANR) એ પુષ્ટિ આપી છે કે આગથી પાવર પ્લાન્ટની સલામતી અથવા તેની મહત્વપૂર્ણ સિસ્ટમોની કાર્યક્ષમતા પર કોઈ અસર થઈ નથી. પાવર પ્લાન્ટના તમામ યુનિટ સામાન્ય રીતે કાર્યરત છે અને જનતાને ફક્ત સત્તાવાર સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવવા અને અફવાઓ અથવા અપ્રમાણિત માહિતી ફેલાવવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવે છે."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એક ભારતીય નાગરિકનું મોત, ત્રણ ઘાયલ
યુએઈએ એ નથી જણાવ્યું કે ડ્રોન હુમલા માટે કોણ જવાબદાર છે?
ADVERTISEMENT
જોકે, નિવેદનમાં શંકાસ્પદ ડ્રોન હુમલા માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તાજેતરમાં ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ સંઘર્ષ દરમિયાન યુએઈ પર અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા થયા છે, જેમાં અધિકારીઓએ કેટલીક ઘટનાઓ માટે ઈરાનને દોષી ઠેરવતા કહ્યું છે કે હુમલાઓમાં ઉર્જા સુવિધાઓ અને દરિયાઈ માળખાને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.