બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જયપુરમાં 87 ટકા પુરુષો જયારે ચંડીગઢમાં 62 ટકા પુરુષો સેક્સ ક્ષમતા વધારવા માટે આવી દવાઓનો ઉપયોગ કરે છે. જયપુરના લોકો માને છે કે આ વસ્તુને ખુબ વ્યક્તિગત છે જે જરુર પડવા પર જ ડોક્ટરને આ વાત બતાવે છે. સર્વેમાં છેલ્લું નિષ્કર્ષ નીકળ્યું કે 28 ટકા લોકો શારીરિક સંબંધ બનાવવા માટે વિયાગ્રા જેવી દવાઓનો સહારો લે છે.

ADVERTISEMENT
લોકોમાં આવી જાગરૂકતા
ભારતમાં સેક્સ વિશે લોકો ખુલીને વાત કરવામાં ખચકાય છે જોકે સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે હવે લોકો તેમની સેક્સ સમસ્યાઓ ડોકટર સામે પહેલા કરતા વધુ ખુલીને કહે છે. લોકોમાં સેક્સ વિશે વધુ જાગરૂકતા પણ જોવા મળી રહી છે. અલગ અલગ પ્રકારની શારીરિક સમસ્યાઓની શું અસર પડે છે અને તેનું સમાધાન કઈ રીતે લાવી શકાય છે તેના પર લોકોમાં જાગરૂકતા આવી છે.
ADVERTISEMENT
જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય
ઘણા લોકો ડાયાબીટીસ થયા બાદ સારી રીતે સેક્સ લાઈફ માણી શકતા નથી. જે બાદ ઘણી વખત ડોક્ટર દ્વારા જ આવી દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે જેથી આવી વ્યક્તિઓ પણ શારીરિક સુખ લઇ શકે. આમ જરૂરી નથી કે લોકો માત્ર ફેન્ટેસી માટે જ વિયાગ્રા લેતા હોય. પુરુષોમાં મર્દાનગીની કમીએ હૃદયની સમસ્યાઓનું પહેલું લક્ષણ હોઈ શકે છે એવામાં બની શકે કે મોટા ભાગના લોકો ડોકટરોની સલાહ પર જ આવી દવાઓનું સેવન કરતા હોય.
ADVERTISEMENT

ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું
ADVERTISEMENT
ડોકટરોનું તો એમ પણ માનવું છે કે દિવસભર કામની ચિંતા કરવાથી પણ લોકોની સેક્સ લાઈફ પર અસર પડે છે. વર્ષ 2018માં થયેલા એક સર્વે અનુસાર ભારતમાં વિયાગ્રા જેવી દવાઓનું વેચાણ 40 ટકા જેટલું વધી ગયું છે. આવી દવાઓના ઉપયોગ કરતા પહેલા એકવાર ડોકટરોથી સલાહ લેવી હિતાવહ છે. ઘણા લોકો સ્ટ્રેસની અસર તેમની રોમાન્ટિક લાઈફ પર ન પડે તે માટે વિયાગ્રા લેતા હોય છે.
ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે
ADVERTISEMENT
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ મુજબ છેલ્લા આઠ વર્ષોમાં વિયાગ્રા સંબંધિત દવાઓ વેચનાર નવ લાખ કેમિસ્ટ વધ્યા છે. જુન 2010માં 18000 ડ્રગ યુનિટ વેચાયા હતા જયારે 2018માં તે વધીને 26000 યુનિટ પર પહોચી ગયું હતું. આ સિવાય આ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે 33 ટકા લોકો અઢાર વર્ષ પહેલાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે ભારતમાં હજુ પણ લોકો વર્જિનિટીને ખુબ મહત્વ આપે છે, 53 ટકા લોકોએ માન્યું કે તે વર્જિનિટીને ખુબ ગંભીર વિષય માને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.