ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3ના મોત, 4 ઘાયલ, ખાટુશ્યામથી દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત

ગુજરાત / 3ના મોત, 4 ઘાયલ, ખાટુશ્યામથી દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત

Published By: Nidhi Panchal

Last Updated: 12:39 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના રાધનપુરમાં નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાધનપુર-વારાહી હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતા 3 લોકોનાં મોત થયા છે. અકસ્મતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

પાટણ જિલ્લાના રાધનપુરમાં નેશનલ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. રાધનપુર-વારાહી હાઈવે પર બનેલા આ અકસ્માતમાં એક કાર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 3 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, અંજારનો પરિવાર ખાટુ શ્યામથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યો દર્શન કરીને પોતાના વતન તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે રાધનપુર-વારાહી હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ptn

ટ્રક પાછળ ઘૂસી ગઈ કાર

મોડી રાત્રે બનેલા આ અકસ્માતમાં કાર હાઈવે પર પાર્ક કરાયેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા. અન્ય 4 લોકોને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો અને સંબંધિત તંત્રની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્મતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના પરિવાર સાથે આ રીતે અકસ્માત સર્જાતા પરિવાર માટે ખુશીનો પ્રવાસ દુઃખમાં ફેરવાઈ ગયો છે.

ptn-2

4 ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ હાઈવે પર પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : જગત મંદિર દ્વારકાધીશના પરિસરનો વીડિયો વાયરલ થતા મંદિરની સુરક્ષા સામે સવાલ

મોડી રાત્રે હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પણ સવાલો ઊભા થયા છે. રાધનપુર-વારાહી હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર પાર્ક કરવામાં આવતા વાહનોની સુરક્ષા અને રાત્રિના સમયે વાહનચાલકો માટે ઊભા થતા જોખમનો મુદ્દો સામે લાવ્યો છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. હાલ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે અને 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અંજારનો પરિવાર ખાટુ શ્યામથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં શોક છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Radhanpur Accident Anjar Family Accident Patan Highway Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ