ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / man seeks readmission in mbbs after 30 years in gujarat
Last Updated: 01:16 PM, 17 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ત્રણ દશકાઓથી અધિક સમય બાદ એમબીબીએસ કોર્સમાં ફરી દાખલો લેવાની માંગ કરવાવાળા વ્યક્તિની માંગણી પર સુનાવણી કરતા બુધવારે તેને ફટકાર લગાવી તથા કહ્યું કે યાચિકાકર્તાને તેની મરજી અનુસાર કામ કરવા તથા લોકોના જીવન સાથે રમવાની પરવાનગી આપવામાં નહિ આવે. ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કરિયાની અદાલત કંદીપ જોશી દ્વારા કરાયેલ યાચિકા પર સુનાવણી કરી રહી હતી, જે વર્ષ 1988 માં બરોડા મેડિકલ કોલેજમાં એમબીબીએસની દ્વિતીય વર્ષની પરીક્ષામાં શામેલ થયા હતા તથા પછી વ્યક્તિગત કારણોના ચાલતા કોર્સ વચ્ચેથી જ છોડ્યો હતો.
જોશીના વકીલે અદાલતને જણાવ્યું કે યાચિકાકર્તા, જે વર્તમાનમાં કોઈ અન્ય વ્યવસાયમાં છે, પોતાનો MBBS કોર્સ પૂર્ણ કરવા માંગે છે તથા તે જ કોલેજમાં પરીક્ષા આપવા ઉત્સુક છે, જ્યાં તેઓ લગભગ 30 વર્ષથી અધિક સમય પહેલા ભણી રહ્યા હતા.
ADVERTISEMENT
અદાલતે જાણવા માંગ્યું કે કેમ યાચિકાકર્તા જીવનના આ પડાવ પર MBBS પૂરું કરવા માંગે છે.
અદાલતે યાચિકા પર સુનવણી દરમિયાન કહ્યું કે માની લો આ પ્રકારનો કોઈ જ નિયમ નથી. છતાં પણ, તમને તમારી મરજી પ્રમાણે કામ કરવાની અનુમતિ ન મળી શકે, ખાસકરીને ત્યારે, જ્યારે તમે લોકોના જીવન સાથે ખિલવાડ કરવા જઈ રહ્યા છો.
ADVERTISEMENT
જ્યારે જોશીના વકીલે દલીલ આપી કે યાચિકાકર્તા પરીક્ષા આપ્યા પહેલા ત્રીજા વર્ષના પાઠ્યક્રમના અધ્યયન માટે ઈચ્છુક છે, તો અદાલતે કહ્યું કે એ અનુમતિ આપવામાં આવશે નહિ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો