શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને વ્રતનો મહિનો. આ મહિનામાં ઘણા લોકો ડુંગળી-લસણ તો મૂકે જ છે તો કેટલાક લોકો એકટાણો ઉપવાસ કરે છે.
આ મહિનામાં તમારા ઘરે કોઇને કોઇ ઉપવાસ તો ચોક્કસથી કરતુ હશે. હવે આખો મહિનો એકટાણું કરીને એકના એક બટેકા, સાબુદાણા અને સામાની ખિચડીથી કટાંળી જશે.
તો આજે ટ્રાય કરો થોડું હટકે, જેનો સ્વાદ તમારા જીભે ચોટી જશે, અમે વાત કરી રહ્યા છીએ ફરાળી મૌરેયાના પુલાવની. તો હવે જાણી લો અને ઘરે જ બનાવો ટેસ્ટી ફરાળી આઇટમ..
સામગ્રી:
- મૌરેયો 2 મોટી ચમચી
- 1 બટેકુ
- 1 કપ મગફળી
- 2 લીલા મરચાં
- 1 નાની ચમચી ઘી
- સિંધવ મીઠું સ્વાદનુસાર
- 2 કપ પાણી
- ગાર્નિશિંગ માટે કોથમીર
બનાવવાની રીત:
સૌથી પહેલા મૌરેયાના સાફ કરીને પાણીમાં 5-10 મિનિટ સુધી પલાળી રાખો. પાંચ મિનિટ પછી તેમાંથી પાણી કાઢી લો. હવે એક પેન લઇને મીડિયમ તાપમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થતા જીરું સાંતડો. જીરું સંતડાઇ ગયા પછી મગફળી નાખીને શેકી લો. જે પછી તેમાં લીલાં મરચાં અને બટાકા નાખીને બટાકા પણ ચઢી જવા દો.
બટાકા ચઢી જાય પછી મૌરેયો નાખીને મિશ્રણને ધીમે ધીમે ચમચીથી હલાવો અને 2 મિનિટ સુધી થવા દો. હવે તેમાં મીઢું અને પાણી નાખો. પાણીમાં એક ઉકાળો આવે પછી વાસણને ઢાંકી દો અને ધીમા તાપે 20 મિનિટ સુધી રાંધો. આ દરમિયાન વચ્ચે મિશ્રણને હલાવતા રાખો. પાણી બળી જશે 20 મિનિટ પછી ગેસને બંધ કરી દો, તેના પર કોથમીરથી ગાર્નિગ કરીને ગરમા ગરમ સર્વ કરો.
નોંધ: જો તમે ફરાળી ના ખાવું હોય તો પુલાવમાં તમારી પસંદગીના શાક નાખી શકો છો.