બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી આ ડૉક્યુમેન્ટ ભૂલ્યાં, તો નહીં બને તમારું PANCARD, અટકી જશે સરકારી કામકાજ!
Last Updated: 02:44 PM, 3 July 2025
જો તમે પાન કાર્ડ બનાવાવાના વિચારમાં છો, તો જાણો કે હવે પાનકાર્ડ બનાવાવવા માટે આધારકાર્ડને જરૂરી દસ્તાવેજ બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે જેને પણ પાનકાર્ડ બનાવાવું છે, તેના પાસે આધાર કાર્ડ હોવું જ જોઈએ. આ નિયમ પણ 1 જુલાઈથી અમલમાં આવી ગયો છે.
ADVERTISEMENT
એટલું જ નહીં, તમારા આધાર નંબર સાથે તમારો મોબાઇલ નંબર પણ લિંક થયેલો હોવો જ જોઈએ. કારણ કે પાન કાર્ડ બનાવતા સમયે તમારે તમારી ઓળખ આધાર મારફતે વેરિફાઈ કરાવવી પડશે. ચાલો વિગતે આ બદલાવને સમજીએ.
શું થયો બદલાવ?
ADVERTISEMENT
અત્યાર સુધી પાનકાર્ડ માટે અરજી કરતી વખતે આધારકાર્ડ હોય કે ના હોય , કોઈ ફરક પડતો ન હતો. આધારકાર્ડ ન હોય તો પણ તમે પાન કાર્ડ બનાવી શકતા હતા. હવે 1 જુલાઈથી આ નિયમમાં બદલાવ આવ્યો છે. હવે કોઈ પણને પાનકાર્ડ બનાવતાં પહેલાં આધારકાર્ડ હોવું અનિવાર્ય રહેશે. નહીં તો પાનકાર્ડ નહીં બને અને પાન કાર્ડ સંબંધિત સરકારી કામો પણ અટકી જશે.

ADVERTISEMENT
31 ડિસેમ્બર સુધી પાન-આધાર લિંક કરાવી લો
સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવું પણ જરૂરી બનાવી દીધું છે. એટલે કે જો તમારી પાસે પાનકાર્ડ પહેલેથી છે પરંતુ આધારકાર્ડ નથી, તો પણ તમે નિશ્વિત રહી શકતા નથી. હકીકતમાં, 31 ડિસેમ્બર 2025 સુધી પાન અને આધાર જેને પણ લિંક નહીં કરાવ્યા હોય, તેમનું પાનકાર્ડ રદ થઇ જશે. સરકારે આ પગલું ટેક્સ ચોરી રોકવા અને નાણાકીય લેન્ડેનમાં પારદર્શિતા લાવવા માટે ભર્યું છે.
ADVERTISEMENT
આ રીતે લિંક કરો Pan અને Aadhaar
ADVERTISEMENT

આધારકાર્ડ બનાવાવવા માટે શું કરવું?
ADVERTISEMENT
જો તમે આધારકાર્ડ બનાવાવા માંગો છો, તો તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે અને આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી મેળવી શકો છો. જો તમે તમારા ફોનમાં mAadhaar એપ ડાઉનલોડ કરી લેશો, તો પણ આ કામ તમે સહેલાઈથી કરી શકશો. આધાર કાર્ડ બનાવાવા જતા વખતે તમારી ઓળખ અને સરનામાના પુરાવા માટે કોઇ દસ્તાવેજ લઇ જવાનું ભૂલશો નહીં.
તમારી ઓળખના પુરાવા તરીકે તમે પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, પેન્શનર કાર્ડ, સ્વાતંત્ર્ય સેનાની કાર્ડ, ખેડૂત પાસબુક વગેરે લઇ જઈ શકો છો. સરનામાના પુરાવા તરીકે તમે પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશનકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, વીજ બિલ, પાણીનું બિલ, લેન્ડલાઇન ટેલિફોન બિલ વગેરે લઇ જઈ શકો છો.
વધુ વાંચો : મકાન વેચવા પર તમારે કેટલો TAX આપવો પડશે? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સમજાવ્યું
આ નિયમો અનુસાર હવે પાનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડ અનિવાર્ય બની ગયું છે અને મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. પાન અને આધાર સમયસર લિંક ન કરાવવાથી પાન કાર્ડ રદ થઈ શકે છે. એટલે વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરીને ભવિષ્યનાં સરકારી કામો માટે આ ડોક્યુમેન્ટ લિંક હોવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.