બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લીંબુ પાણી પીવું કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક?, જાણો એક્સપર્ટ પાસેથી
Last Updated: 12:26 PM, 21 September 2025
લીંબુ પાણીને 'સ્વાસ્થ્યનું અમૃત' તરીકે ગણે છે. વિટામિન-C અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર આ પીણું શરીરને હાઇડ્રેટેડ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ 'સ્વાસ્થ્યનું અમૃત' કેટલાક લોકો માટે જોખમી પણ બની શકે છે? ડેન્ટિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ અને ગેસ્ટ્રોન્ટેરોલોજિસ્ટની સલાહો આધારિત આ સમાચારમાં અમે લીંબુ પાણીના ફાયદા અને નુકસાન વિશે વાત કરીશું. લીંબુમાં વિટામિન-C છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. એક ગ્લાસ લીંબુ પાણીથી આખા દિવસની જરૂરિયાત પૂરી થતી નથી, પણ તે સવારના સમયે હળવું પોષણ આપે છે.
ADVERTISEMENT

એક ન્યુટ્રિશનિસ્ટ ડૉકટરનાં મત મુજબ, "લીંબુ પાણું શરીરને હાઇડ્રેટેડ રાખવાનો સરળ રસ્તો છે. સાદું પાણી પીવું મુશ્કેલ લાગે તો લીંબુનો સ્વાદ તેને આકર્ષક બનાવે છે. આ કોશિકાઓ માટે જરૂરી છે." કેટલાક લોકોને પેટમાં એસિડની કમી હોય છે, જે પાચનમાં અડચણ ઊભી કરે છે. લીંબુ તેમને રાહત આપે છે, કારણ કે તે પાચન પ્રક્રિયાને શરૂ કરે છે. પરંતુ "આ દરેક માટે યોગ્ય નથી. તમારી સ્થિતિને સમજીને જ પીવો." વધુમાં, લીંબુ પાણીને વધુ ગરમ ન કરો. નિષ્ણાતો કહે છે, તાપમાન આટલું હોવું જોઈએ કે પીતી વખતે આરામદાયક લાગે, નહીં તો વિટામિન-C ખરાબ થઈ જાય છે. હળવું ગરમ પાણી આ કુદરતી ફાયદાને જાળવી રાખે છે.
ADVERTISEMENT

લીંબુની એસિડિક પ્રકૃતિવાળાલોકોને તકલીફ આપે છે. ખાસ કરીને એસિડ રિફ્લક્સથી પીડાતા લોકો માટે તે પેટમાં દુખાવો કે બળતરા વધારી શકે છે. ગેસ્ટ્રોન્ટેરોલોજિસ્ટનાં જણાવ્યા અનુશાર, "શરીરના સંકેતો સાંભળો. ટ્રેન્ડને આંખ બંધ કરીને અનુસરશો નહીં, નહિતર તકલીફ થશે." જો તમને પેટની સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ વિના ન પીવું. નિયમિત લીંબુ પાણી પીવાથી દાંતને નુકસાન થઈ શકે છે, કારણ કે એસિડ દાંતોને નબળા કરે છે. ડેન્ટિસ્ટનાં જણાવ્યા અનુશાર, "આનો અર્થ એ નથી કે લીંબુ પીવાનું બંધ કરો પણ તમે અલગ ઉપાય શોધી શકો છો જેમ કે સ્ટ્રોનો ઉપયોગ કરો વગરે." આ સરળ ઉપાયોથી તમે ફાયદા લઈ શકો છો.
ADVERTISEMENT
વધુમાં વાંચો: શું તમને પણ સતત રીલ જોવાની આદત છે? તો થઈ શકે છે આ અસર, જાણો એક્સપર્ટ પાસેથી
સૌથી મોટો ભ્રમ એ છે કે લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરે છે. નિષ્ણાતો કહે છે, લિવર અને કિડની આ કાર્ય પોતાને જ કરે છે. "લીંબુ પાણી હાઇડ્રેશન અને પાચનમાં મદદ કરે, પણ તેને જાદુઈ ડિટોક્સ ડ્રિંક ન સમજો." સવારે એક ગ્લાસથી શરીરને કાર્ય કરવાનો સંદેશ મળે છે, જે દિવસભર ઉર્જા આપે છે.લીંબુ પાણી આરોગ્ય માટે ઉત્તમ છે, પણ તેને ઓવરડોઝ ન કરો. નિષ્ણાતોની સલાહ છે દિવસમાં 1-2 ગ્લાસ પૂરતું રાખો, તાજું લીંબુ વાપરો અને તમારી શરીરીય સ્થિતિને ધ્યાનમાં રાખો. આ નાનું ફેરફાર તમારા જીવનને તાજગી આપી શકે, પણ જ્ઞાન વિના નહીં. તમારી આરોગ્ય યાત્રામાં આ વાતોને સામેલ કરો અને સ્વસ્થ રહો!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.