બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો તમારા યુરિનમાંથી આવી રહી છે આ દુર્ગંધ તો ચેતી જજો, હોઇ શકે છે ગંભીર બીમારીઓના સંકેત

સાવચેતી / જો તમારા યુરિનમાંથી આવી રહી છે આ દુર્ગંધ તો ચેતી જજો, હોઇ શકે છે ગંભીર બીમારીઓના સંકેત

Last Updated: 03:53 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂરિનમાંથી દુર્ગંધ આવવી સામાન્ય બાબત છે. આ ઘણા કારણોસર થઈ શકે છે. ઉપરાંત, આ ઘણી બિમારીઓના પણ લક્ષણ હોઈ શકે છે. યૂરિનમાંથી દુર્ગંધ કેમ આવે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે વિશે વિગતવાર સમજીએ.

ઉનાળામાં ઘણીવાર યૂરિનમાંથી ખરાબ ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધ કેમ આવે છે? શું આ કોઈ બીમારીનું લક્ષણ છે કે પછી કોઈ બીજું કારણ છે જેના કારણે આવું થાય છે? યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર સામાન્ય પણ હોઈ શકે છે અને કેટલીકવાર ગંભીર બીમારીનું પણ લક્ષણ હોઈ શકે છે.

ઉનાળામાં ઘણીવાર ડિહાઇડ્રેશન ના કારણે યૂરિનમાંથી ગંધ આવવા લાગે છે. ઉપરાંત, કેટલાક ખોરાકના વધુ સેવનથી પણ યૂરિનમાંથી દુર્ગંધ આવતી હોય છે. કેટલીક દવાઓના કારણે પણ આવું થઈ શકે છે. પરંતુ, યૂરિનમાંથી દુર્ગંધ આવવાનું હંમેશા આ કારણોસર નથી થતું. કેટલીકવાર આ કોઈ બીમારીનો પણ સંકેત હોઈ શકે છે. ઘણીવાર તેના પાછળ કેટલીક સામાન્ય બિમારીઓ હોઈ શકે છે, પણ કેટલીકવાર ગંભીર બીમારીઓના કારણે પણ આવું થઈ શકે છે.

urin-enfection-smell

યૂરિન ઇન્ફેકશન હોય શકે

યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ઘણીવાર ઉનાળામાં જોવા મળે છે. ડિહાઇડ્રેશન થવાથી યૂરિનમાંથી દુર્ગંધ આવે છે, પણ એ થોડા સમય માટે જ હોય છે. જો યૂરિનમાંથી સતત દુર્ગંધ આવી રહી હોય તો તે કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. યૂરિનમાંથી સતત દુર્ગંધ આવવા પાછળ ડાયબિટીસ, યૂરિન ઇન્ફેકશન અને કિડનીની કોઈ બીમારી હોઈ શકે છે. જો સતત યૂરિનમાં દુર્ગંધ આવી રહી હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ છે યૂટીઆઈના લક્ષણો

યૂરિનમાંથી દુર્ગંધ આવવા પર કેટલાક બીજા લક્ષણો પણ જોવા મળે છે. જેમાં યૂરિનમાંથી દુર્ગંધ સાથે યૂરિન ઘટ્ટ દેખાવું, એમોનિયા જેવી ગંધ આવવી, પેશાબ કરતી વખતે દુઃખાવો અને તાવ આવવો. જો આવા લક્ષણો પણ જોવા મળી રહ્યા હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ યૂટીઆઈ અને કિડનીની બીમારીઓના લક્ષણ હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય છે તો કોઈપણ રીતે અવગણના કરવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

urin-infection

થઈ શકે છે ગંભીર સમસ્યા

યૂરિનમાંથી દુર્ગંધ આવવાની સમસ્યાને હળવામાં લેવી જોઈએ નહીં. જો આ યૂરિન ઇન્ફેકશનના કારણે છે તો આગળ જઈને આ ઇન્ફેકશન કિડની સુધી પણ પહોંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ.

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ?

  • યૂરિનમાં સતત દુર્ગંધ રહે છે.
  • પેશાબ કરતી વખતે દુઃખાવો થાય છે.
  • યૂરિન ધૂંધળું, લાલ કે દુર્ગંધયુક્ત હોય.
  • તાવ કે કમરના ભાગમાં દુઃખાવો અનુભવાય.
  • ડાયબિટીસના દર્દી હોય અને યૂરિનમાં અસામાન્ય ગંધ આવે.

વધુ વાંચો: ભૂલથી પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેવું, વધી રહ્યું છે યુરિક એસિડ

યૂરિનમાંથી દુર્ગંધ આવવી ઘણીવાર ડિહાઇડ્રેશન, આહાર કે દવાઓના કારણે સામાન્ય હોય છે, પરંતુ જો હંમેશા દુર્ગંધ રહે અથવા સાથે અન્ય લક્ષણો જોવા મળે તો તે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Urine odor Illness Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ