બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:45 AM, 7 July 2026
1/7
જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય દિવસે નવા કપડાં પહેરવાથી સુખ સમૃદ્ધિ અને સારા ભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ કેટલાક દિવસોમાં નવા વસ્ત્રો ધારણ કરવાથી નકારાત્મક અસર થવાની માન્યતા છે. ખાસ કરીને મંગળવારના દિવસે નવા કપડાં ન પહેરવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
2/7
મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસ મંગળ ગ્રહ સાથે પણ જોડાયેલો છે જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અને ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસ ઉગ્ર સ્વભાવનો માનવામાં આવે છે.
3/7
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારે નવા કપડાં પહેરવાથી ગુસ્સો વધવાની શક્યતા રહે છે. જેના કારણે પરિવાર કે નજીકના સંબંધોમાં મતભેદ અને વિવાદ સર્જાઈ શકે છે. કેટલીક માન્યતાઓ અનુસાર આ દિવસે પહેરેલા નવા કપડાંને નુકસાન થવાની શક્યતા પણ વધુ રહે છે. તેથી આ દિવસે નવા વસ્ત્રો ધારણ કરવાનું ટાળવામાં આવે છે.
4/7
માત્ર મંગળવાર જ નહીં પરંતુ શનિવારના દિવસે પણ નવા કપડાં પહેરવા શુભ માનવામાં આવતા નથી. માન્યતા છે કે આ દિવસે નવા કપડાં પહેરવાથી કાર્યોમાં અવરોધ આવી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. રવિવારના દિવસે પણ નવા વસ્ત્રો ધારણ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે શારીરિક કષ્ટ સાથે જોડાયેલ માનવામાં આવે છે.
5/7
6/7
શુક્રવાર ઉપરાંત બુધવાર પણ નવા કપડાં પહેરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે નવા વસ્ત્રો ધારણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. સોમવાર અને ગુરુવારના દિવસે પણ નવા કપડાં પહેરવાથી સકારાત્મક ઊર્જા અને શુભ ફળ મળતા હોવાનું જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ