બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / AC સાથે પંખો ચલાવવો સારો કે ખોટો? જાણો લાઈટ બિલ બચાવાની સરળ રીત

જાણવા જેવું / AC સાથે પંખો ચલાવવો સારો કે ખોટો? જાણો લાઈટ બિલ બચાવાની સરળ રીત

Nidhi Panchal

Last Updated: 12:03 PM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો માને છે કે એસી અને પંખો એકસાથે ચલાવવાથી વીજળીનું બિલ વધી જાય છે. પરંતુ હકીકતમાં યોગ્ય રીતે બંનેનો ઉપયોગ કરવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને વીજળીની પણ બચત થઈ શકે છે.

ઉનાળાની ગરમી વધતા લોકો હવે ઘર અને ઓફિસમાં ACનો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે, AC સાથે પંખો ચલાવવો જોઈએ કે નહીં તે માટે હજુ પણ અનેક લોકોમાં ગેરસમજ જોવા મળે છે. ઘણા લોકો માને છે કે પંખો અને AC એકસાથે ચલાવવાથી વીજળીનું બિલ વધી જાય છે અને AC પર વધુ ભાર પડે છે. પરંતુ નિષ્ણાતો અનુસાર, આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો AC અને પંખો એકબીજાના સારા સાથી સાબિત થાય છે.

AC-Cover

ACનું તાપમાન કેટલું રાખવું

સામાન્ય રીતે લોકો ઉનાળામાં રૂમ ઝડપથી ઠંડો કરવા માટે ACનું તાપમાન ખૂબ ઓછું કરી દે છે. કેટલાક લોકો 16 અથવા 18 ડિગ્રી સુધી AC સેટ કરે છે, જેના કારણે મશીન પર વધારે લોડ પડે છે. આ સ્થિતિમાં વીજળીનો વપરાશ વધે છે અને બિલ પણ વધુ આવે છે. ઉપરાંત, સતત ઓછા તાપમાને AC ચલાવવાથી મશીનની કામગીરી પર પણ અસર પડી શકે છે.

AC સાથે પંખો ચલાવવના ફાયદા

જો તમે ફક્ત AC ચલાવો છો તો રૂમને ઠંડો થવામાં થોડો સમય લાગે છે, કારણ કે ઠંડી હવા ધીમે ધીમે સમગ્ર રૂમમાં ફેલાય છે. પરંતુ જો AC સાથે પંખો પણ ચલાવવામાં આવે તો પંખો ઠંડી હવાને રૂમના દરેક ખૂણામાં ઝડપથી પહોંચાડે છે. જેના કારણે રૂમ ઝડપથી ઠંડો થાય છે અને AC પર વધારાનો ભાર પડતો નથી. ઉદાહરણ તરીકે, જો તમે AC 24 ડિગ્રી પર અને પંખો 2 અથવા 3 નંબર પર ચલાવો છો, તો રૂમમાં આરામદાયક ઠંડક જળવાઈ રહે છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી પરેશાન છો? આ 5 કાર છે શાનદાર ઓપ્શન

ACનું તાપમાન

આ રીત વીજળીનું બિલ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. જ્યારે ACનું તાપમાન 24, 25 અથવા 26 ડિગ્રી પર રાખવામાં આવે છે, ત્યારે વીજળીનો ખર્ચ ઓછી થાય છે. પંખાની મદદથી ઠંડી હવા ઝડપથી ફેલાતી હોવાથી ઓછા તાપમાને AC ચલાવવાની જરૂર રહેતી નથી. આ રીતે લાંબા ગાળે સારી બચત થઈ શકે છે. ઘણા લોકોને આખી રાત એસી ચલાવતી વખતે રૂમમાં ભેજ અથવા ભારેપણું અનુભવાય છે. AC સાથે પંખો ચાલુ રાખવાથી હવાની અવરજવર સારી રહે છે અને રૂમમાં ભેજ ઓછો થાય છે. જેના કારણે ઊંઘ વધુ આરામદાયક બને છે અને ગભરાટ જેવી સમસ્યાઓ પણ ઘટે છે. નિષ્ણાતોનું માનવું છે કે મોટા રૂમમાં AC અને પંખાનો સંયુક્ત ઉપયોગ વધુ અસરકારક રહે છે. ઉપરાંત, AC ચાલુ કરતા પહેલા રૂમની બારીઓ અને દરવાજા સારી રીતે બંધ રાખવા જોઈએ, જેથી ઠંડી હવા બહાર ન જાય અને રૂમ ઝડપથી ઠંડો થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electricity Saving AC and Fan Tips Summer Cooling Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ