ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Lalit Vasoya clarified about the speculation of joining BJP
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં કોંગ્રેસને એકબાદ એક ફટકો પડી રહ્યો છે. એક બાદ એક ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની પડતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કહેશે તેવી વાતો વહેતી થઇ હતી. આ નેતા એટલે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા. કોંગ્રેસ છોડીને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો વચ્ચે આજે ખુદ લલિત વસોયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસથી કોઇ અસંતોષ નહીં- લલિત વસોયા
ADVERTISEMENT
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેસરિયો ધારણ કરશે તેવી અટકળોને લલિત વસોયાએ અફવા ગણાવી છે. આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હું 2017માં જીત્યો ત્યારથી મારા હિતેચ્છુઓ આવી અટકળો કરતા આવે છે. હું બે દિવસથી સૌરાષ્ટ્ર ઝોનની બેઠક માટે વ્યવસ્થામાં છેું. પાર્ટીની નેતાગીરી સાથે છું. કોંગ્રેસથી મને કોઇ પણ પ્રકારનો અસંતોષ નથી.
ચૂંટણી આવે ત્યારે ચર્ચાઓ કરે- લલિત વસોયા
ADVERTISEMENT
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં દરેક પક્ષના નેતાઓ આવતા હોય છે. આ કાર્યક્રમોમાં ભાજપના નેતા સાથેના ફોટા જોઇને ખોટી અફવાઓ ફેલાવાય છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા જો કે તેમણે આ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.

ADVERTISEMENT
કોંગ્રેસના આ નેતાઓએ કર્યા કેસરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જાય તેવી ચર્ચા જાગી હતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતાએ જોર પકડયું હતું. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. તેવી પણ અગાઉ ચર્ચા જાગી હતી.4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.
સંકળાયેલા મુદ્દાઓ