બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / VTV વિશેષ / Kajal spoke Hindustani and anger erupted in Patidar society!, worry or cheap publicity?
Dinesh
Last Updated: 09:48 PM, 18 March 2024
ગુજરાતીમાં બે કહેવત વચ્ચે બોલવાની વાતનો સાર આવે છે. એક કહેવત એવી છે કે બોલે એને બોર વેચાય અને બીજી એવી છે કે ન બોલ્યાના નવગુણ. માત્ર બોલીને બતાવવાના આ જમાનામાં કામ કરનારો વ્યક્તિ ન બોલે તો પણ કોઈ જાણતું નથી, કામની નોંધ લેવાતી નથી. અને ન કામ કરનારો વ્યક્તિ ખૂબ બોલી જાય તો આપણને લાગે છે કે જોરદાર બોલે છે, અને કામ તો આ જ કરતા હશે. હિંદુ દીકરીઓ સાથે થતા ષડયંત્રો સામે કાજલ હિંદુસ્થાની હંમેશા બોલે છે. કામ કરે છે. સ્વાભાવિક છે કે મુદ્દો એવો છે કે સામાન્ય હિંદુ છેટો રે છે, હિંમત કરતો નથી. એવી આ લવજેહાદની સમસ્યામાં કાજલ હિંદુસ્થાની લોકોને સચેત કરવા પ્રયત્ન કરે છે. એવા જ એક પ્રયત્નના ભાગરૂપે કાજલબેન વર્ષ 2023ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ 50 મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી. ભાષણનો એક વીડિયો હવે વાયરલ થયો, અને વિવાદ પણ થયો. પાટીદાર સમાજે એની દીકરીઓ પર મોટું લાંછન લગાવ્યું હોવાનું અનુભવ્યું, તો મોરબીમાં પાટીદાર અગ્રણીઓ મોરબીને અને પાટીદાર સમાજની દીકરીઓને નીચું જોવા જેવું થયું, એવો ગુસ્સો કરી રહ્યાં છે. મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે, મુદ્દો એ યુવકોને 40 લાખની ગાડી અપાવવાનો છે, અને મુદ્દો એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે, એવો છે. અને આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સામાં છે.
કાજલબેનનું નિવેદન શું?
કાજલબેન મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં FIR થઇ હોવાનું ખુલ્યું છે
મનોજ પનારાએ કાજલબેન વિશે શું કહ્યું?
મનોજ પનારાએ કાજલ હિન્દુસ્થાની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, મોરબીની દીકરીને બદનામ કરી રહ્યાં છે. સસ્તી પ્રસિદ્ધિ માટે કાજલબેને આ કહ્યું છે. પાટીદાર સમાજની માફી માગે કાજલ હિન્દુસ્થાની તેમજ ગુજરાતભરમાંથી અમે ફરિયાદ કરીશું. પાટીદાર સમાજે સંમેલનમાં આ બેનને ન બોલાવવા આહવાન કરીશું અને અમે કાયદાકીય રીતે જે કરવાનું થશે તે કરીશું
ધનજી પટેલે શું કહ્યું?
કાજલ બેનને મંચ પરથી મર્યાદામાં બોલવાની ખબર પડતી નથી. સ્વભાવ પ્રમાણે,પબ્લિક જોઇને કાબૂમાં રહી શકતા નથી. પટેલ સમાજ અને દીકરીઓને ટાર્ગેટ કરી છે. બીજા લોકોના મગજમાં પટેલ સમાજની દીકરી વિશે શું છાપ પડે? એક નારી થઇને પોતે આવું નિવેદન ન કરવું જોઇએ
હસમુખ પટેલે શું કહ્યું
કાજલબેને સસ્તી પ્રસિદ્ધિ માટે આવું નિવેદન કર્યુ છે. દીકરી વ્હાલી હોય તો તેમના વાલીને મળીને વાત કરવી જોઇએ. જાહેરના નિવેદનોથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. બેનને સમસ્યાના નિવારણ કરતા સસ્તી પ્રસિદ્ધિમાં વધુ રસ છે
પરેશ ગજેરાએ શું કહ્યું?
તેમણે કહ્યું કે, કોઇ પણ સમાજની દીકરી કે માતા-પિતાને બદનામ ન કરવા જોઇએ. કોઇ પણ પુરાવા વગર આવા નિવેદન ન કરાય અને પુરાવા હોય તો યુવકોના માતા-પિતાને મળીને વાત કરવી જોઇએ. કાજલબેને સમજી વિચારીને બોલવું જોઇએ
લાલજી પટેલે શું કહ્યું?
લાલજી પટેલે કહ્યું કે, શું કાજલબેન સનાતન ધર્મના આગેવાન છે? પટેલ સમાજની દીકરી વિશેની વાત સદંતર ખોટી છે. દીકરીને બચાવવી હોય તો તેના માતા-પિતાને મળવું જોઇએ. બેનને જાહેરમંચ પરથી શું બોલવું તે ખબર પડવી જોઇએ. અમે કાજલબેનના નિવેદનનો વિરોધ કરીએ છીએ. જ્યા કાર્યક્રમ થશે ત્યાં વિરોધ કરીશું? તેમની પહેલી ફરજ દીકરીને બચાવવાની છે,નિંદા કરવાની નહીં. SPG અને પાટીદાર સમાજ કાજલબેનના નિવેદનને વખોડે છે
વાંચવા જેવું: IAS એ કે રાકેશ બન્યાં ગુજરાતના નવા મુખ્ય અધિક ગૃહ સચિવ, ચૂંટણી પંચના આદેશથી નિમણૂક
કાજલ હિન્દુસ્થાની કોણ છે?
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime