બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર એક SMS અને રેલવે મુસાફરોની સમસ્યા દૂર, દરેક જણ ખાસ જાણી લે
Last Updated: 05:00 PM, 16 January 2026
ટ્રેન મુસાફરી દરમિયાન અનેક સમસ્યાઓ આવે છે. જેમાં ટ્રેન લેટ પડવી, પ્લેટફોર્મમાં ફેરફાર, સ્ટેશનની સમસ્યાઓનો સમાવેશ થાય છે. હવે આ પ્રોબ્લેમને ટેકલ કરવા રેલવે વિભાગે 139 હેલ્પલાઇનને વધુ સ્માર્ટ બનાવી છે. જેમાં માત્ર કોલ જ નહીં પણ એક SMS મોકલવાથી પણ મુસાફરો અનેક જરૂરી સેવાઓનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
જેમાં લાઈવ ટ્રેન સ્ટેટસથી લઈને પાર્સલ માહિતી અને ફરિયાદ નોંધાવવા સુધી અનેક સેવાઓ તેમના મોબાઇલ ફોનથી કરી શકાય છે. આ સર્વિસની એક ખાસ વાત એ છે કે, તેના માટે ઇન્ટરનેટ કે એપ્લિકેશનની જરૂર નથી. મોબાઇલ ફોનથી મોકલવામાં આવેલા એક સરળ મેજેસ તમારી સમસ્યા રેલવેને પહોંચાડશે અને જવાબ પણ અપાવશે.

ADVERTISEMENT
આ સર્વિસ પાર્સલ મોકલનારાઓ માટે પણ ઉપયોગી છે. કેમ કે, પાર્સલની સ્થિતિ અને સંદર્ભ નંબર સંબંધિત માહિતી તેમના ફોન પર સીધી ઉપલબ્ધ થશે. મતલબ કે ટ્રેન માહિતી માટે હવે લાંબા કોલ કે કાઉન્ટર પર લાઈનની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
139 નંબર માત્ર માહિતી પૂરી પાડવા માટે નથી. મુસાફરો તેમની ફરિયાદો નોંધાવવા માટે પણ SMS મોકલી શકે છે. પછી ભલે તે ટ્રેનમાં સ્વચ્છતાનો અભાવ હોય, પાણીની તંગી હોય, કોચમાં કોઈ સમસ્યા હોય. આ માહિતી મેસેજ દ્વારા રેલવેને પહોંચાડી શકાય છે. ફરિયાદ નોંધાયા બાદ તે સંબંધિત વિભાગને ફોરવર્ડ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.