બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી એક્ટર જય ભાનુશાળી-માહી વીજના લગ્નમાં ભંગાણ, લઈ લીધા છૂટાછેડા, ચાહકોમાં ખળભળાટ
Last Updated: 12:49 PM, 27 October 2025
ટીવી ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ કપલ જય ભાનુશાળી અને માહી વિજે 15 વર્ષ પછી તેમના સાત જીવનના સંબંધોનો અંત લાવી દીધો છે. તેમણે બન્નેએ છૂટાછેડા લઈ લીધા છે. આ સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ યુગલના ચાહકો ચોંકી ગયા છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ યુગલે તેમના પ્રેમ સંબંધનો અંત કેમ કર્યો.
ADVERTISEMENT
15 વર્ષ બાદ લીધા છૂટાછેડા
જય ભાનુશાળી અને માહી વિજે તેમના 15 વર્ષના લગ્નજીવનનો કાયમ માટે અંત લાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે કે આ દંપતીએ તેમના સંબંધને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને આખરે આ દંપતીએ છૂટાછેડા લીધા છે.
ADVERTISEMENT
જય અને માહી છેલ્લે ક્યારે જોવા મળ્યાં?
જય અને માહી છેલ્લે પુત્રી તારાના જન્મદિવસ પર સાથે જોવા મળ્યા હતા. ઇવેન્ટના વીડિયો અને ફોટામાં બંને દૂર રહીને પોઝ આપતા જોવા મળ્યા હતા. જુલાઈમાં તેમના છૂટાછેડાની અટકળો વધુ તીવ્ર બની હતી. જ્યારે માહીને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "હું તમને કેમ કહું? તમે મારા કાકા છો. શું તમે મારા વકીલની ફી ચૂકવશો?"
ADVERTISEMENT
વધુ વાંચો : મોટા સમાચાર : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની હાલત ગંભીર, ICUમાં દાખલ, ચાલુ મેચે થઈ હતી ઈજા
2011 થયા હતા લગ્ન
ADVERTISEMENT
માહી અને જયના લગ્ન 2011 માં થયા હતા અને આ દંપતી ત્રણ બાળકોના માતાપિતા છે: પુત્રી તારા, જેનો જન્મ 2019 માં થયો હતો, અને દત્તક બાળકો રાજવીર અને ખુશી, જેમને તેમણે 2017 માં દત્તક લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.