બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધનના ઍક અંદાજની વાત કરવામાં આવે તો વર્ષ 2100માં ભારતની જનસંખ્યામાં 41 કરોડનો ઘટાડો નોંધાયેલો હશે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવ્યું છે
ADVERTISEMENT
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે વસ્તી વૃદ્ધિ નકારાત્મક હોય છે, ત્યારે વસ્તીનું જ્ઞાન અને જીવનનું સ્તરમાં સ્થિરતા આવવા લાગે છે અને તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. દેખીતી રીતે આ સ્થિતિ સારી નથી. સંશોધન મુજબ, આવનારા સમયમાં ભારતની વસ્તી ગીચતામાં ઝડપથી ઘટાડો થવાની છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વસ્તી લગભગ સરખી થઈ ગઈ છે, પરંતુ બંને દેશોની વસ્તી ગીચતામાં ઘણો તફાવત છે અને ભારતની વસ્તી ગીચતા ચીન કરતા ઘણી વધારે છે.
ADVERTISEMENT
78 વર્ષમાં ઘટશે જનસંખ્યા
ભારત અને ચીનની વસ્તી ગીચતામાં તફાવત આ આંકડા પરથી સમજી શકાય છે કે જ્યાં ભારતમાં પ્રતિ ચોરસ કિમીએ 476 લોકો રહે છે, ત્યાં ચીનમાં આ આંકડો 148 લોકો પ્રતિ કિમી છે. અનુમાન મુજબ, વર્ષ 2100 સુધીમાં, ભારતની વસ્તી ગીચતા 335 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર હશે. ભારતની વસ્તી ગીચતામાં થયેલો ઘટાડો વિશ્વની વસ્તીમાં થયેલા ઘટાડા કરતા ઘણો વધારે હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
વસતી ઘટવાનું મુખ્ય કારણ ભારતીય મહિલાઓને ફર્ટિલિટી રૅટ
ભારતની મહિલાઓમાં ઘટતો જતો ફર્ટિલિટી રેટ વસ્તી ઘટવા પાછળ જવાબદાર કારણ છે. પ્રતિ મહિલા ફર્ટિલિટી રેટ 1.76થી ઘટીને 2032માં 1.39, 2052માં 1.28 જ્યારે 2100માં 1.19 રહી જશે.
ADVERTISEMENT
22મી સદીની શરૂઆતમાં 100 કરોડ હશે જનસંખ્યા
આપને જણાવી દઇએ કે, અભ્યાસમાં ભારતની વસ્તી ગીચતામાં ઘટાડો દેશની વસ્તીમાં નોંધવામાં આવેલા ઘટાડાને આધારે અંદાજવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ 2022માં દેશની વસ્તી 141.1 કરોડ છે, જે 2100માં ઘટીને 100.3 મિલિયન થઈ જશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસને સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિભાગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં પણ સ્થાન આપવામાં આવેલ છે.
ADVERTISEMENT
ચીનની જનસંખ્યામાં પણ નોંધાશે નોંધપાત્ર ઘટાડો
અભ્યાસમાં અન્ય રાષ્ટ્રો જેવા કે ચીન અને અમેરિકામાં પણ આ પ્રકારે જનસંખ્યા ઘટવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચીનની વસતીમાં પણ આશ્ચર્યજનક ઘટાડો નોંધાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્ષ 2100માં ચીનની જનસંખ્યા ઘટીને તે 49.4 કરોડ થઈ શકે છે. એટલે કેટ આગામી 78 વર્ષમાં જનસંખ્યામાં 93.2 કરોડનો ઘટાડો નોંધાઈ શકે છે. આ અંદાજ ચીનના લોકોની ઓછી પ્રજનન ક્ષમતાના પરિદ્રશ્યના આધારે લગાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.