ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ મુશ્કેલીમાં, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ
Last Updated: 08:57 PM, 28 February 2026
ADVERTISEMENT
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીયો સાઉદીના એરપોર્ટ પર ફસાયા છે. અમદાવાદના જમાલપુર-ખાડિયા મત વિસ્તારના લોકો સાઉદીમાં ફસાયા છે. ઈમરાન ખેડાવાલાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, દરેક ભારતીય નાગરિકની સલામતી આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. હું ભારત સરકારને વિનંતી કરૂ છું કે આપણા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલા લે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ X પર પોસ્ટ સાથે મદદની માંગ કરી હતી.
ADVERTISEMENT
इज़राइल-ईरान तनाव के बीच गुजरातके अहमदाबाद और मेरे जमालपुर-खड़िया मतक्षेत्रके बहुत लोग सऊदी एयरपोर्ट पर फसे हुए हे हर भारतीय नागरिक की सुरक्षा हमारी प्राथमिकता होनी चाहये मैं भारत सरकारसे आग्रह करता हूं कि वह हमारे लोगों की सुरक्षा के लिए तत्काल और सक्रिय कदम उठाए @DrSJaishankar pic.twitter.com/V0dEjiMNCN
— Imran Khedawala (@Imran_khedawala) February 28, 2026
ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. તેહરાન સહિત છ ઇરાની શહેરોમાં આશરે 30 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા છે. ઇરાને ઇઝરાયલને બદલો લેવાની ધમકી પણ આપી છે. ગંભીર પરિસ્થિતિને જોતાં, ભારત સરકારે ઇઝરાયલમાં રહેતા તેના નાગરિકોને ચેતવણી આપી છે.
ADVERTISEMENT
ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. દૂતાવાસે તમામ ભારતીયોને ખૂબ જ સાવધાની રાખવા કહ્યું છે. સરકારે લોકોને હંમેશા સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલા નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે. નિયમનો ને તોડવા જીવલેણ હોઇ શકે છે.

ADVERTISEMENT
ઇઝરાયલમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારી રહે છે. તેમની સલામતી ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ત્યાંના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કટોકટી દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવું એ પોતાને બચાવવાનો સૌથી સારી રીત છે.
ADVISORY
— India in Israel (@indemtel) February 28, 2026
In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times.
2. Indian nationals are strongly advised to strictly adhere to the safety guidelines and instructions… pic.twitter.com/SBWmNLgIsS
ADVERTISEMENT
કારણ વિના બહાર ના નીકળવાનો નિર્દેશ
દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તેમના ઘરો અથવા ઓફિસોની નજીકના સુરક્ષા શેલ્ટર નજીક રહેવા વિનંતી કરી છે જેથી સાયરન વાગતાની સાથે જ તેઓ ઝડપથી સલામત સ્થળે પહોંચી શકે. દૂતાવાસે જરુરી ના હોય તો ઇઝરાયલમાં ગમે ત્યાં મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોડ-શો સાથે વડાપ્રધાન મોદીનું સાણંદમાં ભવ્ય સ્વાગત, ગુજરાતને આપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટની ગિફ્ટ
મદદ માટે હેલ્પલાઇન કરી જાહેર
ADVERTISEMENT
તાજેતરની જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટ (https://oref.org.il/eng) જોતા રહેવાનો આદેશ છે. દૂતાવાસે લોકોને સ્થાનિક ખબર અને મોબાઇલ એલર્ટ પર નજર રાખવા કહ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં સહાય પૂરી પાડવા માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ફોન નંબર : +972-54-7520711
ઇમેઇલ : [email protected]
સરકારની પ્રાથમિકતા : સુરક્ષા
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.