બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બુમરાહનાં અંગત કારણની ખબર પડી
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ જલ્દી તેનાં જીવનની નવી ઈનિંગની શરુઆત કરવા જઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે તેનાં અંગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો છો. પણ હવે ખબર પડી ગઈ છે કે તે અંગત કારણ શું હતું.
ADVERTISEMENT
Ind vs Eng: Bumrah has taken leave to prepare for marriage
— ANI Digital (@ani_digital) March 2, 2021
Read @ANI Story | https://t.co/HoCS8Oi3CZ pic.twitter.com/0fcRbGpMj7
ADVERTISEMENT
જસપ્રીત કરવા જઈ રહ્યો છે લગ્ન
જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. એક માહિતી અનુસાર બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું કે, બુમરાહ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. બુમરાહ તેનાં લગ્નની તૈયારીઓ કરવા માટે ટેસ્ટ સિરીઝની લાસ્ટ મેચમાંથી ખસી ગયો છે. જોકે બુમરાહ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનો ખ્યાલ નથી આવ્યો. સૂત્રોનાં જણાવ્યા મુજબ બુમરાહ એક અઠવાડિયામાં લગ્ન કરવા જઈ રહ્યો છે. પણ ક્યાં અને કોની સાથે તેનો ખ્યાલ હજુ સુધી મળ્યો નથી.
ADVERTISEMENT
ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી પાંચ મેચની ટી-20 સિરીઝ પણ રમાશે. બુમરાહને ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ બંને ટીમોની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. વન ડે સિરીઝ 23 માર્ચથી શરુ થશે.
વનડે માંથી પણ રહી શકે છે બહાર
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ બુમરાહ ઈંગ્લેન્ડની સામે રમાનાર ત્રણ મેચોની વનડે સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. બુમરાહની ગેરહાજરીમાં ભારત પાસે નવા ખેલાડીઓે તક આપવાનો અવસર આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી શરુ થશે. હાલ ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.