ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ માટે જણાવીશું જ્યાં તમે ફ્રી માં લાજવાબ ખાવાના સ્વાદને ચાખી શકો છો.
ADVERTISEMENT
અમૃતસરનું સ્વર્ણ મંદિર
પંજાબના અમૃતસરમાં બનેલા સ્વર્ણ મંદિરમાં દરરોજ ફ્રી માં ખાવાનું મળે છે. આ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓની સાથે જ કોઇ પણ વ્યક્તિ ગરીબ વ્યક્તિ ભરપેટ ખાવાનું ખાઇ શકે છે. તો હવે અમૃતસર જવાનો પ્લાન હોય તો સ્વર્ણ મંદિર જવાનું ભૂલશો નહીં.

ADVERTISEMENT
પપ્પાવાડાવાડા, કોચ્ચિ
કેરળમાં બનેલી આ રેસ્ટોરાંની બહાર એક ફ્રીઝ મૂકેલું છે, જેમાં રેસ્ટોરાંમાં જે પણ લોકો ખાવાનું મૂકી જાય છે એને એમાં મૂકી દેવામાં આવે છે. આ ખાવાનાને જરૂરીયાત લોકોમાં વહેંચવામાં આવે છે. કોઇ પણ આ ફ્રીઝમાંથી ખાવાનું નિકાળીને ખાઇ શકે છે. આ ફ્રિઝનું નામ ટ્રી ઑફ ગુડનેસ રાખવામાં આવ્યું છે.

ADVERTISEMENT
જનકીય ભક્ષણશાલા, પાથીરાપલ્લી, કેરળ
કેરળની આ રેસ્ટોરાંમાં ખૂબ જ લાજવાબ ખાવાનું મળે છે. મુસાફરી દરમિયાન પ્રવાસીઓના જો પૈસા ખતમ થઇ જાય છે તો એ અહીંયા જઇને ખાવાનું ખાઇ શકે છે. જો ખાવાનું ખાધા બાદ કોઇને પૈસા આપવાનું મન હોય તો અહીંયા પર દાન પાત્ર મૂકેલું છે જેમાં તમે તમારી ઇચ્છા અુસાર પૈસા મૂકી શકો છો. આ પૈસાનો ઉપયોગ જરૂરીયાતમંદોના ભોજન પર ખર્ચ કરવામાં આવે છે. રેસ્ટોરાંનું નામ 'જનકીય ભક્ષણશાલા' એટલે કે જનતા ભોજનાલય. એમનો હેતું છે 'Eat as much as you want, give as much as you can'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો