બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important announcement regarding night curfew in Gujarat

ગાંધીનગર / ગુજરાતમાં રાત્રી કફર્યૂમાં એક કલાકની રાહત, સિનેમા 50 ટકા કેપેસિટી સાથે ખુલશે, લગ્નપ્રસંગમાં 100ને મંજૂરી

Published By: Shyam

Last Updated: 08:49 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા સરકારે રાત્રી કર્ફ્યૂને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મનપામાં રાત્રી કફર્યૂ યથાવત્ રહેશે, સાથે કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે

  • રાજ્યમાં રાત્રી કફર્યૂને લઈને મહત્વના સમાચાર
  • રાજ્યની 8 મનપામાં રાત્રી કફર્યૂ યથાવત્ રહેશે
  • વાપી, અંકલેશ્વર, વલસાડમાં રાત્રી કફર્યૂ યથાવત્

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં રાત્રી કર્ફ્યૂને લઈ મહત્વના નિર્ણયો જાહેર કરાયા છે.  રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. તો 18 શહેરોમાંથી કર્ફ્યૂ હટાવી દેવાયો છે. અગાઉ કુલ 36 શહેરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. 

  • રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે  
  • આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે 
  • હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
  • આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે  
  • લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે
  • અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ 
  • સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે  
  • વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ 
  • GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ 
  • પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે 
  • રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે 

ક્યા શહેરોમાં કફર્યૂ-નિયંત્રણો યથાવત?

રાજ્યની 8 મનપા અને 18 શહેરોમાં કફર્યૂ અને નિયંત્રણો 
વાપી,અંકલેશ્વર,વલસાડમાં રાત્રી કફર્યૂ યથાવત્
નવસારી,મહેસાણા,ભરૂચમાં રાત્રી કફર્યૂ યથાવત્
પાટણ,મોરબી,ભુજ,ગાંધીનગરમાં રાત્રી કફર્યૂ યથાવત્

ક્યા શહેરોમાં કફર્યૂ મુક્તિ?

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુરમાં કફર્યૂ મુક્તિ
વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ
બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર
અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, 
આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic Night Curfew gandhinagar ગુજરાત રાત્રી કર્ફ્યૂ night curfew

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ