બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you suffer from hypertension, avoid these 5 foods
Blood pressure effects: હાઈ બ્લડ પ્રેશર હૃદય માટે એક મોટો ખતરો છે તે આપણે બધા જાણીએ છીએ. આજકાલ મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. બ્લડ પ્રેશર વધવા પાછળનું કારણ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે, જેમ કે વધતી ઉંમર અને તણાવ, અનહેલ્દી ખોરાક અને ખરાબ લાઇફસ્ટાઇલ. તે જેનેટિક પણ હોઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સારવાર ન કરવામાં આવે તો તે ઘણા અંગોને અસર કરી શકે છે.
ADVERTISEMENT

એવામાં હાઈ બ્લડપ્રેશરને કારણે હાઈપરટેન્શનની સમસ્યા ઉદભવે છે જેને કારણે હૃદય સંબંધિત બીમારીઓ પણ થાય છે. સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં શાકભાજીને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે જેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. આ ખાતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
પાલક
પાલક ઉચ્ચ સોડિયમ ગુણોથી ભરપૂર છે. જો કે, પાલક એક એવું શાક છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું માનવામાં આવે છે અને તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પાલક ખાવાનું ટાળવું જોઈએ. આ કારણે તેમનું હાઈ બ્લડ પ્રેશરનું સ્તર વધુ વધી શકે છે.
.jpg)
ADVERTISEMENT
તરબૂચ
તરબૂચમાં સોડિયમની માત્રા વધુ હોય છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. પરંતુ પછી જો તમે તેને ખાવા માંગતા હોવ તો તમે તેને ઓછા સોડિયમવાળા ફળો સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.
કાજુ
કાજુમાં ભરપૂર માત્રામાં કેલરી અને ચરબી હોય છે. તેથી, જે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અથવા ઉચ્ચ કોલેસ્ટ્રોલથી પીડાતા હોય તેમને કાજુથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
મેથી
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધુ સોડિયમને કારણે મેથી ખાવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT
ટામેટા સૂપ
પેકેજ્ડ ટમેટાના સૂપમાં સોડિયમ વધુ હોય છે. તેથી તેને કોઈપણ કિંમતે ટાળવું જોઈએ. પેકેજ્ડ સૂપ અને શાકભાજીમાં ઘણું મીઠું હોય છે. તૈયાર શાકભાજીને બદલે તાજા શાકભાજી ખરીદો અને ઘરે સૂપ બનાવીને પીવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.