બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વિષ્ણુ પુરાણ અનુસાર જાણો પૌરાણિક કથા
Last Updated: 11:34 AM, 23 February 2025
Maha Shivratri 2025: હિન્દુ પંચાંગ મુજબ મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. લોકોના મનમાં આ પ્રશ્ન ઘણીવાર આવે છે કે ભગવાન શિવજીની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તો ચાલો જાણીએ તેની પાછળની દંતકથા.
ADVERTISEMENT

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ બ્રહ્માંડના સંહારકર્તા દેવોના દેવ મહાદેવ છે, જેમને ભોલેનાથ, શિવશંભુ, ભગવાન શિવ, વગેરે જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ લોકોના મનમાં ઘણીવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અથવા ભગવાન શિવ કેવી રીતે પ્રગટ થયા, જેના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. ભગવાન શિવની ઉત્પત્તિની અધિકૃત કથા વિષ્ણુ પુરાણ અને શિવ પુરાણમાં નોંધાયેલી છે.
ADVERTISEMENT
વિષ્ણુ પુરાણમાં ભગવાન શિવની ઉત્પત્તિનો ઉલ્લેખ
વિષ્ણુ પુરાણની કથા અનુસાર ભગવાન શિવનો જન્મ બાળક તરીકે થયો હતો. ખરેખર બ્રહ્માજીને એક બાળકની જરૂર હતી. તેમણે આ માટે તપસ્યા કરી. પછી અચાનક તેના ખોળામાં એક રડતું બાળક શિવ પ્રગટ થયા. જ્યારે બ્રહ્માજીએ બાળકને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો કે તેનું કોઈ નામ નથી અને તેથી જ તે રડી રહ્યો છે. પછી બ્રહ્માએ શિવનું નામ 'રુદ્ર' રાખ્યું જેનો અર્થ થાય છે 'રડનાર'. તો પણ ભગવાન શિવ ચૂપ ન રહ્યા. તેથી બ્રહ્માજીએ તેમને બીજું નામ આપ્યું, પરંતુ શિવજીને તે નામ પણ ગમ્યું નહીં અને તેઓ હજુ પણ ચૂપ રહ્યા નહીં. આ રીતે ભગવાન શિવને શાંત કરવા માટે બ્રહ્માએ તેમને 8 નામ આપ્યા અને આ રીતે શિવ 8 નામોથી જાણીતા થયા (રુદ્ર, શર્વ, ભવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ).
ADVERTISEMENT

શું શિવજીનો જન્મ બ્રહ્માના પુત્ર તરીકે થયો હતો?
ADVERTISEMENT
સત્યાર્થ નાયકના પુસ્તક 'મહાગાથા'માં પણ આનો ઉલ્લેખ છે. તો કથા મુજબ, જ્યારે પૃથ્વી, આકાશ અને પાતાળ સહિત સમગ્ર બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય કોઈ દેવ કે પ્રાણી નહોતું. ત્યારે ફક્ત ભગવાન વિષ્ણુ જ પાણીની સપાટી પર તેમના શેષનાગ પર સૂતેલા દેખાયા. પછી ભગવાન બ્રહ્મા તેમની નાભિમાંથી કમળની થડ પર પ્રગટ થયા. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ સૃષ્ટિ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા. બ્રહ્માજીએ તેમને ઓળખવાનો ઇનકાર કર્યો. પછી ભગવાન શિવ ગુસ્સે થશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ બ્રહ્માને દિવ્ય દ્રષ્ટિ આપી અને તેમને ભગવાન શિવની યાદ અપાવી.
બ્રહ્માજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ભગવાન શિવની માફી માંગી અને તેમના પુત્ર તરીકે જન્મ લેવા માટે તેમના આશીર્વાદ માંગ્યા. શિવજીએ બ્રહ્માજીની પ્રાર્થના સ્વીકારી અને તેમને આ વરદાન આપ્યું. આ પછી, જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના શરૂ કરી, ત્યારે તેમને એક બાળકની જરૂર હતી અને પછી તેમને ભગવાન શિવજીના આશીર્વાદ યાદ આવ્યા. તો બ્રહ્માજીએ તપસ્યા કરી અને ભગવાન શિવ તેમના ખોળામાં બાળકના રૂપમાં પ્રગટ થયા.
ADVERTISEMENT
શિવપુરાણમાં ભગવાન શિવના પ્રગટ થવાની કથા
ADVERTISEMENT
શિવપુરાણના અગિયારમા ભાગમાં ભગવાન શિવના પ્રગટ થવાનો ઉલ્લેખ છે. જે મુજબ 'જ્યારે ભગવાન બ્રહ્મા અંન્ડમાંથી પ્રગટ થઇ અને કલ્પમાં જુએ છે કે તેમના દ્વારા બનાવેલી સૃષ્ટિ વિકસી રહી નથી, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે.' પછી તેમના દુ:ખનો અંત લાવવા માટે દરેક કલ્પમાં મહેશ્વરની ઇચ્છાથી, ભગવાન રુદ્ર પુત્ર રૂપમાં બ્રહ્માજીથી પ્રગટ થાય છે. રુદ્ર ભગવાન શિવ અથવા મહાદેવ હતા. જ્યારે બ્રહ્મા ભગવાન રુદ્રને બ્રહ્માંડની રચના માટે પ્રાર્થના કરે છે, ત્યારે ભગવાન શિવ પોતાના જેવા જ જટાધારી અગિયાર રુદ્રો ઉત્પન્ન કરે છે. ત્યારબાદ બ્રહ્માજીને ફરીથી બ્રહ્માંડની રચના કરવાનો આદેશ આપ્યા પછી ભગવાન શિવ અદ્રશ્ય થઈ જાય છે.

આ પણ વાંચોઃ મહાશિવરાત્રિ પર અપનાવો આ 3 સરળ ઉપાય, મળશે તમામ કષ્ટોથી મુક્તિ, જાણો માન્યતા
શિવ-શિવાની ઉત્પત્તિ
જ્યારે બ્રહ્માજીએ અનેક રીતે બ્રહ્માંડની રચના કરી, ઘણા પ્રયત્નો પછી પણ બ્રહ્માંડનો વિકાસ થતો ન લાગ્યો, ત્યારે તેમણે જાતીય સંભોગ દ્વારા બ્રહ્માંડની રચના કરવાનું વિચાર્યું. આ વિચાર આવતા જ બ્રહ્માજીએ કઠોર તપસ્યા શરૂ કરી. તેમણે ભગવાન શિવનું ધ્યાન કરીને શક્તિ સાથે કઠોર તપસ્યા શરૂ કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. તે સમયે શિવજીનું અડધુ અંગ સ્ત્રીનું અને અડધું શરીર પુરુષનું હતું.
બ્રહ્માજીએ ઊભા થઈને અર્ધ-નારીશ્વર ભગવાન શિવની શક્તિ સાથે સ્તુતિ કરી. હે સર્વગુણ સમ્પન્ન ભગવાન મહેશ્વર તથા જગત જનની શક્તિ સ્વરૂપા! આપ કી જય હો. તમે દુનિયાની અલગ અલગ રીતે રચના કરવા સમર્થ છો. આપ કી જય હો. આપ સૃષ્ટ્રિ રચનાના મને આર્શીવાદ પ્રદાન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.