દિવાળી પૂરી થઇ, રાબેતા મુજબ ઑફિસ-ધંધા શરૂ થઇ ગયા, પરંતુ હજુ સુધી દિવાળીની અસર જોવા મળી રહી છે, કામમાં સુસ્તી અને રોડ પર ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. દિવાળીમાં ઘરના લોકો તથા મહેમાનોની માટે ચોક્કસથી નાસ્તા અને મિઠાઇઓ બનાવી હશે અથવા તો કોઇએ આપ્યુ હશે. એવામાં જો નાસ્તાઓ કે મિઠાઇ બાકી રહી ગયા હશે તો તમને વિચાર આવશે કે આનું કરવુ શું?
જો તમારે ઘરે મિઠાઇમાં સોનપાપડી છે તો અમે તમને જણાવીએ કે ઘરે જ અલગ-અલગ વાનગી બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો.
- સોનપાપડીને ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને દૂધ સાથે ભેળવીને ગઠ્ઠ બનાવો. જો તમે ઇચ્છો તો આ મિશ્રણમાં માવો પણ મિક્સ કરી શકો છો. હવે આ મિશ્રણને એક ટ્રેમાં સેટ થવા માટે અડધા કલાક માટે મૂકી દો. આ પછી તમે ઇચ્છો તો પીસમાં કટ કરીને ખાઇ શકો છો.
- દિવાળીમાં બાકી રહેલી સોનપાપડીને સૌથી સારો ઉપયોગ કરવો હોય તો ખીર બનાવી લો. ખીર બનાવવા માટે સોનપાપડીને ક્રશ કરી લો અને દૂધમાં મિક્સ કરીને તેમાં ડ્રાયફ્રૂટ નાખી દો, તો તૈયાર છે ખીર.
- આ સિવાય તમે સોનપાપડીમાંથી કસ્ટર્ડ પણ બનાવી શકો છો. આ બનાવવા માટે એક પેનમાં 1 લિટર દૂધ, 200 ગ્રામ સોનપાપડી, થોડો કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર કરીને જરૂર મુજબ ખાંડ નાખીને કસ્ટર્ડ બનાવી શકો છો.
- સોનપાપડી, ઇલાયચી અને ડ્રાયફ્રૂટસને ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને પાઉડર બનાવી લો. આ પાવડરને કાચના કન્ટેનરમાં ભરીને રાખી દો, સમય-સમય પર દૂધમાં મિક્સ કરીને મહેમાનોને આપી શકો છો.