દિવાળીના તહેવાર પર તમે ઘરે જ મીઠાઇ બનાવી હશે. આ મીઠાઇ બનાવ્યા પછી શું તેના માટે બનાવેલી અને વધેલી ચાસણી તમે ફેંકી દો છો? જો તમારો જવાબ હા હોય તો હવે તેવું ના કરતા, કારણ કે તેનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો છો.
- બચેલી ચાસણીમાંથી તમે ઘણા પ્રકારની મીઠાઇ બનાવી શકો છો જેમાં નાનખટાઇ, બેસનની બરફી, શક્કરપારા, મીઠી મઠરી, લાડુ અને બિસ્કિટ.
- જો તમે પૂરણપોળી બનાવવા હોવ તો તેના સ્ટફિંગ માટે બીજી સામગ્રીની સાથે ચાસણીનો ઉપયોગ પણ કરી શકો છો.
- પુલાવ બનાવવા માટે ભાતને ચાસણીમાં થોડા સમય માટે પલાળીને રાખ્યા પછી રાંધી લો, તેનાથી પુલાવ વધારે ટેસ્ટી બનશે.
- બચેલી ચાસણીમાંથી તમે બૂરું પણ બનાવી શકો છો. આ માટે ચાસણીને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સૂકાઇ ના જાય. તે ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. આ બૂરુંનો ઉપયોગ શરબતમાં ગળપણ તરીકે કરી શકો છો.
- નાશ્તા માટે મીઠા પૂરી બનાવવી હોય તો આ ચાસણીથી લોટ બાંધી શકો છો.
- ડ્રાય ફ્રૂટ્સને કેરેમલ કરવા માટે ચાસણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેનમાં ચાસણી અને ડ્રાય ફ્રૂટ્સ લઇને પાકવા દો. આ પછી ગેસ બંધ કરીને પ્લેટમાં સેટ થવા રાખી દો.