ગરમીની સિઝનમાં મોટાભાગે જોવામાં આવે છે કે ઊભેલી કારમાં ઘણી વખત આગ લાગી જાય છે. કારમાં આગ લાગવાનો અર્થ લાકોનું નુકસાન. પરંતુ ઘણી વખત જોવા મળ્યું છે કે કારમાં આગ લાગવાનું સૌથી મોટું કારણ માલિક અથવા ડ્રાઇવરની બેદરકારી હોય છે. કેટલીક સાવધાની રાખીને આ ઘટનાઓથી બચી શકાય છે. ચલો તમને જણાવીએ કયા કારણોસર કારમાં આગ લાગી જાય છે.
ઑફ્ટર માર્કેટ શૉપિંગ
લોકો પૈસા બચાવવા માટે કારમાં સીએનજી એલપીજી કિટ લગાવડાવે છે. પરંતુ જોવા મળે છે કે આ કિટ ગમે ત્યાંથી લગાવી દે છે. ઑથોરાઇઝ્ડ સેન્ટરથી કિટ ફીટ ના કરાવવાના કારણે ફરીયાદ થઇ શકે છે. લીકેજ થવા પર કારમાં ગમે ત્યારે આગ લાગી શકે છે.
કંપની ફીટ સીએનજી કિટમાં સિલિન્ડર પર ઑટોમેટિક રેગ્યુલેટર અને ચેકવૉલ લાગેલું હોય છે. લીકેજ અથવા કોઇ સમસ્યા સમયે આ ચેકવૉલ તરત ઓપન થઇ જાય છે અને સિલિન્ડરમાંથી સમગ્ર ગેસ નિકળી જાય છે. જેના કારણે મોટી ઘટના બનતી નથી.
ગરમીમાં તાપમાન વધવા પર કારમાં લાગેલા નાના નાના તાર ગરમ થઇને આપસમાં ચોંટવા લાગે છે. તારની ઉપર લાગેલું રબર ગરમ થયા બાદ સ્પાર્કિંગથી શૉર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે.
ગરમીની સિઝનમાં રબર ફ્યૂલ પાઇપ તાપમાન વધવા પર ગરમ થઇ જાય છે. એવામાં એમાં લીકેજ થવાની સમસ્યા રહે છે. પાઇપ લીક થવા પર પેટ્રોલ વહેવા લાગે છે જે આગ પકડી લે છે.
લોકો કંપનીની સર્વિસ ખતમ થયા બાદ અપ્રશિક્ષિત મિકેનિકથી સર્વિસ કરાવે છે. આ લોકો ઘણી વખત સર્વિસ દરમિયાન આવી ભૂલો કરી દે છે જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.