પાણી પીવાને લઇને દરેકના અલગ અલગ મત હોય છે. ઘણી વાર મોસમ અનુસાર પાણી પીવાનુ કહેવાય છે, જ્યારે નિષ્ણાતોના અનુસાર શરીરને પાણીની જેટલી જરુર હોય તેટલું જ પાણી પીવું જોઇએ. શરીરને આવશ્યકતા હોય તેટલી જ તરસ લાગે છે.
જરૂર મુજબ પાણી પીવું જોઇએ
શરીરની આવશક્યતા મુજબ લાગે છે તરસ
તરસ લાગવી શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે. તેનો અર્થ એ છે કે શરીરનું મિકેનિઝમ યોગ્ય રીતે ચાલી રહ્યુ છે. વધુ પાણી પીવું હંમેશા ફાયદાકારક હોય તે જરુરી નથી. ઘણી પરિસ્થિતિઓમાં તે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.
જરૂર મુજબ પાણી પીવું જોઇએ
પાણી હંમેશા તમારા કામ મુજબ પણ પીવાવું જોઇએ. કામને અનુરુપ તરસ લાગતી હોય છે. જો કોઇ વ્યક્તિ એસીમા બેસીને કામ કરતી હોય તો તે વ્યક્તિને ઓછી તરસ લાગે છે. જો કોઇ વ્યક્તિ ગરમીમાં કામ કરતી હોય કે મહેનત મજુરીનું કામ હોય તો તેને વધુ તરસ લાગે છે. પાણી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણી પી લેવું જોઇએ. વાતાવરણ પ્રમાણે પણ તરસ વધે અને ઘટે છે. ગરમીમાં યુરિન ઓછુ બને છે. પરસેવાનું બાષ્પીભવન થવાથી આમ થાય છે.
હાર્ટના દર્દીઓએ ઓછુ પાણી પીવું
એક વાર હાર્ટ એટેક આવ્યો હોય કે હાર્ટની અન્ય કોઇ બીમારી હોય તેવા દર્દીઓને વધુ પડતુ પાણી પીવાથી કિડની પર લોડ પડે છે. આ પાણી ફેફસામાં જઇ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ લેવલ બદલાવાથી પણ વોટર રિટ્રેશન થાય છે.ચિડચિડિયાપણુ, સોજો અને વજન વધી શકે છે. તેમણે પણ જેટલી જરુર હોય તેટલું જ પાણી પીવું જોઇએ.
માત્ર આઠ ગ્લાસ નહીં, જરુરિયાત મુજબ પાણી પીવો
સામાન્ય રીતે આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જરુરિયાત અનુસાર તેનાથી વધુ પાણી પી શકાય છે. નારિયેલ પાણી, શિકંજી કે લીંબુ શરબત પણ પી શકાય છે. નારિયેલ પાણીનો એક સારો સ્ત્રોત છે.
ઘરની બહાર હો તો સમયે સમયે લિક્વીડ લેતા રહો. ઓછી તરસ લાગતી હોય તો ડોક્ટરની સલાહ લો. આ સિવાય જો તમારે રાત્રે બેથી વધુ વખત યુરિન જવા માટે ઉઠવુ પડતુ હોય તો તે પણ બિમારીનું લક્ષણ છે. આ માટે પણ તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.