બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship / Household Remedies Can Reduce Nightfall Problem

ઉપાય / પુરુષોની સ્વપ્નદોષની સમસ્યાને દૂર કરશે આ વસ્તુઓ

Juhi

Last Updated: 03:50 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિઝી શેડ્યૂલ અને યોગ્ય ખાવા-પીવાને અભાવે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થાય છે. યંગસ્ટર્સમાં સ્વદોષની સમસ્યા જોવા મળે છે. જેનાથી શરીરમાં નબળાઇ આવવા લાગે છે અમે તમને જણાવીશું એવા ઘરેલૂ નુસખા જેનાથી આ સમસ્યા કાયમી રીતે દૂર થઇ જશે.

- એક કળી લસણને રાત્રે સૂચા સમયે ચાવી જાઓ અને ઉપર તાજુ પાણી જાઓ. તે પછી તરત કંઇપણ ખાવુ નહી. થોડા દિવસમાં સ્વપ્નદોષની સમસ્યા દૂર થઇ જશે.

-  1-2 બદામ, થોડું માખણ અને 3-3 ગ્રામ ગોળ લઇને પીસી નાંખો ,તેમાં 7-8 ગ્રામ મધ નાખીને મિક્સ કરી દો. આ મિશ્રણને એક અઠવાડિયા સુધી સવાર-સાંજ સેવન કરવાથી નાઇટફોલમાં ઘટાડો થાય છે.

- સ્વપ્નદોષને દૂર કરવા માટે 6 ગ્રામ આંબળાના ચૂર્ણમાં એટલી માત્રામાં મધ મિક્સ કરીને 8-10 દિવસ સુધી લો અને ઉપરથી સાકર ખાઇ લો.

- અડધો ગ્રામ નાની ઇલાયચી કે પાઉડર, 3 ગ્રામ સૂકા ઘાણાનો પાવડર અને 3 ગ્રામ સાકર મિક્સ કરી લો. આ ચૂર્ણના સરખો ભાગ કરીને પડીકા બનાવી લો. રોજ સવારે તાજા પાણીની સાથે તેનું સેવન કરો, સ્વદોષમાંથી છૂટકારો મળી જશે.

- તાજા ગુલાબના ફુલની 7-8 પાંખડીઓને 3 ગ્રામ સાકરની સાથે ચાવીને ખાઇ લો. તેના ઉપર 1 ગ્લાસ ગાયનું દૂધ પીવો. આ ઉપયાર રોજ કરવાથી સ્વપ્નદોષનો રોગ કાયમી રીતે દૂર થઇ જશે.

- દૂધમાં આંબલીના બીજ પલાળી આંબલીમાં બરાબર માત્રામાં સાકર નાખીને તેને પીસીને વટાણાના દાણા જેવી ગોળી બનાવી દો. 1-1 ગોળી થોડા દિવસ સુધી લો. ઝડપથી આ સમસ્યામાંથી છૂટકારો મળશે. 

- અજમાનાં પાંદડા સ્વપ્નદોષની સમસ્યા માટે એક સારામાં સારી દવા છે, આ પાંદડામાંથી જ્યૂસ કાઢી તેનું સેવન મધ સાથે કરો. જલ્દીથી આ સમસ્યામાંથી છૂટકારો મળશે.

- નપુંસકતા દૂર કરવા માટે પુરુષેએ કાચા ભિંડા ચાવીને ખાવા જોઈએ.સ્વપ્નદોષની સમસ્યામાં ભિંડા એક સારી દવાનું કામ કરે છે.

- અડધો લીટર ગાયના દૂધમાં 3 ખારેક લઇ તેમાં જરૂર મુજબ સાકર મિક્સ કરીને તેને ઉકાળો, જ્યારે દૂધ અડધુ થઇ જાય ત્યારે ખારેકના ઢળિયા કાઢીને ખારેકને ખાઓ અને દૂધ પી લો. સ્વપ્નદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય ફાયદારૂપ છે. 

- કાચી ડુંગળી ખાવી સ્વપ્નદોષની સમસ્યામાં ઘણી સારી માનવામાં આવી છે. ખાવામાં કોઇપણ રૂપમાં ડુંગળીનું સેવન કરવામાં આવે તો આ સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ સાથે જ કાચી ખાવામાં આવે તો વધારે સારા પરિણામ આવે છે. 

- મધનું ત્રિફળાનું ચૂર્ણ  મિક્સ કરી ખાવાથી સ્વપ્નદોષ જેવા રોગ દૂર થાય છે, પરંતુ જે લોકોનો સ્વભાવ વધારે ગરમ હોય તે લોકોએ મધની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો જોઇએ. જો તે ઉપરાંત ખાંડ મિક્સ કરેલો રસ પીવામાં આવે તો વધુ લાભ થાય છે.

- કોથમીર અને સાકરને બરાબર માત્રામાં પીસી લો. આ ચૂર્ણને 5 ગ્રામ માત્રામાં તાજા ઠંડા પાણીની સાથે એક અઠવાડિયા સુધી લો. સ્વદોષમાં લાભ થશે. આ સિવાય દરરોજ લીમડાના 2 પાન ચાબીને ખાવાથી ક્યારેય સ્વપ્નદોષ નહીં થાય.

સંકળાયેલા મુદ્દાઓ

Health NightFall Remedies lifestyle relationship Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ