લોકો પોતાની સ્કીનમાં નિખાર લાવવા માટે જાતભાતની બજારમાં મળતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત એ પ્રોડક્ટ્સની આડઅસર જોવા મળે છે. એવામાં આજે અમે તમને જણાવીએ કે બહાર બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સથી દૂર રહીને તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે
સ્કીનમાં તેજ લાવવા માટે લીલી ચા ખૂબ જ ફાયદાકારક છે
પ્રદૂષણથી બચવા માટે વ્યક્તિ હંમેશા બહાર નિકળતી વખતે મોઢાને કવર કરે છે. પરંતુ તેમ છતાં તેઓ પ્રદૂષણથી બચી શકતા નથી અને ફેસ એમનો બગડી જાય છે. ત્યારે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે રાતોરાત સ્કીન નિખારી શકશો.
લીલી ચા ફાયદાકારક છે
તમે સાંભળ્યું જ હશે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તે સુંદરતામાં પણ સુધારો કરી શકે છે. આ માટે ગ્રીન ટીને પીસી લો અને તેમાં થોડું પાણી ઉમેરો. હવે તેને રાત્રે સુતા પહેલા કોટન વડે ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ લો. તે સવાર તમારા ચહેરામાં ગજબનું તેજ દેખાશે.
એલોવેરા જેલ છે ગુણકારી
એલોવેરાનો પલ્પ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને લગાવવાથી ચહેરાના ડાઘ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. રાત્રે સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યારબાદ એલોવેરા જેલ કાઢી લઈને ચહેરા પર લગાવો. સવારે ઉઠ્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આમ કરો. તફાવત તમે જાતે જ અનુભવી શકશો.
ખાંડ અને લીંબુનો સ્ક્રબ
પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે, જેના કારણે ચહેરો ધીરે ધીરે નિસ્તેજ બનતો જાય છે. તેથી, દર અઠવાડિયે ચહેરાને સ્ક્રબિંગ કરવાની આદત પાડો. ચહેરાને સ્ક્રબ કરવા માટે તમે ખાંડ અને લીંબુનો સ્ક્રબ પણ બનાવી શકો છો. 2 ચમચી ખાંડ અને 1 લીંબુ કાપીને તેનો રસ નીચવી લો. હવે તેને હથેળી પર લઈને ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી, મૃત ત્વચા નીકળી જશે અને રંગ પણ નીખરશે.